________________
તેના વિષયો તરફ જતાં રોકો. અને જેમ આંખ રૂપ ન જુએ તેવી જ રીતે બાકીની ચારેય ઇન્દ્રિય પોતાના વિષયથી પાછી ફરશે. અને તો જ ઈન્દ્રિયોને બહિર્મુખી થતી અટકાવી શકાય અને અંતર્મુખી બનાવી શકાય. તેવા હેતુથી ગીતામાં નાકના અગ્રભાગ પર દષ્ટિ કરવી તેવું કહ્યું છે. પણ લોકો શબ્દાર્થ લઈને અનુસરે છે તેથી કેટલાયને માથાનો દુ:ખાવો થાય કે ન સમજીને ત્રાટક જેવું કરવા જાય તો ડાગળી ચસકે તેમાં નવાઈ
નહીં!
યોગશાસ્ત્રમાં તો દૃષ્ટિને પૂર્ણ રીતે ખુલ્લી રાખીને બેસવાની ક્રિયાને પુષ્ટિ કહે છે. અને જે દષ્ટિ બંધ કરીને બેસવામાં આવે તો તેને મમાઈ કહે છે. તે જ પ્રમાણે જો અધખુલ્લી આંખે બેસવાનો પ્રયત્ન થાય તો તેને પ્રતિપદ્ગ કહે છે.
વેદાન્તમાં પૂર્ણિમાની જેમ આંખો ખુલ્લી રાખવાની, અમાસની જેમ તદ્દન બંધ રાખવાની કે આઠમની જેમ આંખો અધખુલ્લી રાખવાની વાત જ નથી, કારણ કે વેદાન્તની દષ્ટિમાં એક વાત ખૂબ જ સ્પષ્ટ છે કે માનવીનાં ચર્મચક્ષુ આત્મસાક્ષાત્કાર માટે નિરર્થક છે. અને કોઈ પણ ક્રિયા દ્વારા અયિ, અકર્મ આત્મા પ્રાપ્ત થઈ શકે તેમ નથી. તેથી વેદાન્તમાં તો જ્ઞાનચક્ષુની જ વાત છે. અને જ્ઞાનચક્ષુથી જ જીવ અને બ્રહ્મના ઐક્યનું દર્શન થઈ શકે તેમ છે. જ્ઞાનચક્ષુથી જ જીવ તે બ્રહ્મ છે તેમ જાણી શકાય છે. અને અજ્ઞાન દ્વારા બ્રહ્મ જ જીવરૂપે દેખાય છે, તત્ત્વની દષ્ટિએ તો જીવ અને બ્રહ્મ અભિન્ન છે પણ તેવું જાણવા માટે જ્ઞાનદષ્ટિની જરૂર છે. માટે જ ગીતામાં કહ્યું છે કે “વિતા નાનુપતિ પત્તિ જ્ઞાનવલુક:” “અજ્ઞાનીઓ જાણતા નથી, પણ જ્ઞાનરૂપી ચક્ષુવાળા જાણે છે.” જ્ઞાનચક્ષુવાળા જ શરીર છોડીને જતા તથા શરીરમાં રહી ભોગ ભોગવતા જીવાત્માને બ્રહ્મથી અભિન્ન જાણે છે. આમ વેદાન્તની દષ્ટિમાં દષ્ટિની સ્થિરતા કેવી હોય છે તેનું વર્ણન નીચેના બે શ્લોકમાં કરવામાં આવે છે.
दृष्टिं ज्ञानमयीं कृत्वा पश्येद् ब्रह्ममयं जगत् । सा दृष्टिः परमोदारा न नासाग्रावलोकिनी॥११६ ॥ દૃષ્ટિ જ્ઞાનમય કૃત્વા દષ્ટિને જ્ઞાનમય બનાવીને