________________
(૪૧૫)
સ્થિરતાનો કોઈ અર્થ નથી, જ્યાં સુધી સ્વરૂપની સમતાનું જ્ઞાન ન હોય.
અંગો અને શરીરની સ્થિરતા સાથે થયેલી સમાધિ આવે છે અને જાય છે. તેથી તે નિત્ય નથી. ઉપરાંત શરીર સાથેની આવી રમતમાં દેહભાવ વધુ ને વધુ દૃઢ થાય છે. વાસ્તવમાં સ્વરૂપની સમતા નથી આવતી કે નથી જતી. એક વાર જ્ઞાન થયું સ્વરૂપનું પછી તે જતું નથી. તાત્પર્ય એ જ છે કે સ્વરૂપની સમતા નિત્ય છે અને અંગોની અનિત્ય છે. બ્રહ્મમાં સ્થિર થયેલો કદી અસ્થિર થતો નથી. સદા, સર્વદા, અચળ અભય અને અચ્યુત જ રહે છે.
દૃષ્ટિની સ્થિરતા
નિદિધ્યાસનનાં અંગો ઉપર વિચાર કરતાં આપણે દેશ, કાળ, આસન, શરીરની સમતા વિશે વિચાર કર્યો તેથી સ્વાભાવિક છે કે હવે આપણે વિચારવું જોઈએ કે આસન ઉપર શરીર સ્થિર રાખીને બેઠા પછી દૃષ્ટિ કેવી અને ક્યાં રાખવી જોઈએ? યોગશાસ્ત્રમાં તો સ્પષ્ટતા કરી છે કે નાકના અગ્રભાગ ઉપર દૃષ્ટિ રાખવી જોઈએ અને તેવી દૃષ્ટિને ‘નાસાપ્રાવતોજિની કહે છે.
શ્રીમદ્ભગવદ્ગીતામાં પણ અધ્યાય ૬માં તેવી વાત છે.
સંપ્રેક્ષ્ય નાસિઋદ્રં સ્વ વિશવાનવતોનયન્ || ૬-૧૩ ॥ “પોતાના નાકની અણી ઉપર દષ્ટિ રાખીને બીજી બાજુએ કે બીજી દિશામાં ન જોતાં” ષ્ટિને પોતાના નાક ઉપરના અગ્ર ભાગમાં કેન્દ્રિત કરવી તેવું સૂચન ગીતામાં પણ થયેલું છે. જો ખરેખર તેવો જ શબ્દાર્થ લઈને નાક ઉપર દષ્ટિ રાખીએ તો ધ્યાન કોનું થવાનું? નાકનું કે બ્રહ્મનું? સિદ્ધાંત તો એમ કહે છે કે કીટભ્રમર ન્યાય મુજબ જેનું ધ્યાન ધરો તે જ થઈ જવાય. તો શું નાકનું ધ્યાન ધરવું ઇષ્ટ છે? વાસ્તવમાં લક્ષ્યાર્થ લેવાનો છે. બન્ને આંખે જો નાકના અગ્રભાગ ઉપર જોવાનો પ્રયત્ન થાય તો આજુબાજુની દિશાનાં નામ અને આકાર દેખાશે નહીં. પ્રત્યક્ષીકરણનું ક્ષેત્ર ‘ફીલ્ડ ઓફ પરસેપ્શન' સીમિત થઈ જશે. તેથી દષ્ટિ ઇન્દ્રિય તેના વિષયરૂપ છે તેમાં ગમન નહીં કરે. અર્થાત્ સંત એવો છે કે ઇન્દ્રિયોને