________________
(૪૧૩)
अंगानां समतां विद्यात् समे ब्रह्मणि लीयते।
नो चेन्नैवं समानत्वमृजुत्वं शुष्कवृक्षवत्॥११५॥ यानि अंगानि समे ब्रह्मणि
જે અંગો સમરૂપ બ્રહ્મમાં લીન लीयते तेषाम् अंगानाम् समताम् । થાય છે તે અંગોમાં જ સમતા છે अस्ति इति विद्यात्
એમ જાણવું જોઈએ. નો રે..
નહીં તો વૃક્ષવત્ તેવાકુ અંનામું | સૂકા વૃક્ષના ટૂંઠામાં જેમ સમાનપણું समानत्वम् ऋजुत्वम् च स्त: 7 અને સરલપણું મનાય નહીં તેમ જ इति न एव विद्यात्
અંગો બ્રહ્મમાં લીન ન થાય તેમનું
સમાનપણું કે સરળપણું મનાય નહીં બામાં લીન થયેલાં અંગોમાં જ સમતા છે
વેદાન્તમાં શરીરની સમતા નહીં, પણ સ્વરૂપની સમતા મહત્વની છે, કે જ્યાં કોઈ વિષમતાનું અસ્તિત્વ નથી. અંગોને બ્રહ્મમાં લીન કરવા માટે કાર્યથી કારણ તરફ, આરોપથી અધિષ્ઠાન તરફ વિચારણા કરવી પડશે. આવી વિચારણાથી જ સમજાશે કે પદાર્થ અને પરમાત્મા જુદા નથી, કાર્ય અને કારણ અભિન્ન છે. આવો વિચાર તે જ સ્વરૂપનો વિચાર કે બ્રહ્મવિચાર કહેવાય છે.
પ્રથમ વિચારવું જોઈએ કે અંગો આવ્યાં ક્યાંથી?
શરીરમાંથી. શરીર ક્યાંથી આવ્યું? ગર્ભમાંથી. ગર્ભ ક્યાંથી આવ્યો? વીર્યમાંથી કે શુક્રજંતુથી. વીર્ય કયાંથી આવ્યું? અનાજમાંથી - કારણ કે અનાજનો ખોરાક બનાવ્યો; તેનું લોહી થયું - તેમાંથી જ વીર્ય થયું, અથતું વીર્ય અનાજથી આવ્યું છે. અનાજ ક્યાંથી આવ્યું? વિભિન્ન વનસ્પતિથી કે ઔષધિમાંથી જ અનાજ આવ્યું છે. વનસ્પતિ ક્યાંથી આવી? પૃથ્વીમાંથી. પૃથ્વી ક્યાંથી આવી? પાણીમાંથી. કારણ કે ત્રણ ભાગનું આજે પણ પાણી છે અને એક ભાગ જમીન છે. કહેવાય છે કે કોઈ કાળે સૂર્યથી કોઈ ટુકડો છૂટો પડ્યો હશે; પણ શરૂઆતમાં વાયુરૂપ હશે અને પછી વાયુથી જ પાણી થયું હશે તેથી પાણીથી જ પૃથ્વી આવી છે તેમ કહેવામાં શું વાંધો છે? જો પાણીથી પૃથ્વી આવી તો પાણી ક્યાંથી આવ્યું?