________________
(૪૦) : ઉચિત છે.
દેશ અને કાળની ચર્ચા ઉપરથી એટલું તો સ્પષ્ટ થાય છે કે આત્મા નિરપેક્ષ તત્ત્વ છે અને કાળ” અને દેશ બન્ને સાપેક્ષ છે. જાગૃતિમાં જે દેશ અને કાળના અનુભવ થાય છે તે સ્વપ્નદશાના દેશકાળ જેવો જ છે. દા.ત. રમેશભાઈ સવારે સાત વાગે એક પ્રવચન સાંભળવા ગયા અને દીવાલને અડીને શ્રોતાઓમાં સૌથી છેલ્લે બેઠા. બન્યું એવું કે રમેશભાઈ સવારે પ્રવચનમાં ઊંધી ગયા. ત્યાં તેમને સ્વપ્ન આવ્યું સ્વપ્નમાં તે ખૂબ જ ઉતાવળે તૈયાર થાય છે. થોડીવારમાં સુટેડ, બુટેડ, કટેડ થઈ રેલવે-સ્ટેશન પર પહોંચી જાય છે અને સામાન સાથે ટ્રેનમાં બેસે છે. ટ્રેનની મુસાફરી શરૂ કરે છે. આ ટ્રેન વલસાડથી મુંબઈ જવાની હોય છે. આ રમેશભાઈ સવારે પ્રવચનમાં ઊંધતા હોય છે. છતાં સ્વપ્નમાં તેમની ટ્રેન સાંજની હોય છે. ટ્રેનમાં રાત્રે દીવા થાય છે. આથમતા સૂર્યન રમેશભાઈ ટ્રેનની બારીમાંથી જુએ છે અને મુંબઈ આવે ત્યાં સુધી તેઓ જાગતા રહે માટે દરેક સ્ટેશને વારંવાર ચા પીએ છે. છેવટે મુંબઈ પહોંચી ટૅકસી કરી વિમાનઘર ઉપર આવે છે. અને અમેરિકાના પ્લેનમાં બેસી જાય છે. સભાગે તેમને બારીવાળી જગ્યા મળી હોય છે. પ્લેનની બારીમાંથી તેઓ અવકાશમાં જુએ છે તો તેમને ચંદ્ર, તારા, નક્ષત્રો વગેરે દેખાય છે. જ્યારે વિમાન કોઈ મોટા શહેર પરથી ઊડે છે ત્યારે ધરતી ઉપરની રોશની પણ દેખાય છે. પ્લેનની ગતિને લીધે દરેક ક્ષણે પોતે નવો દેશ અને નવો કળ અનુભવે છે. આ બધું જોતાં જતાં પાછા પ્લેનમાં રમેશભાઈ તો ઊંધી ગયા. ત્યાં અચાનક સૂચના અપાઈ કે “ચુક આવવાની તૈયારીમાં છે. દરેકે પોતાની કમરના પટ્ટા બાંધી લેવા” અને રમેશભાઈએ પણ બંધ આંખે પોતાનો પટ્ટો શોધવા હાથ લાંબો ક્ય, પટ્ટો ખેંઓ ત્યાં તો એક બહેને કહ્યું “એ ભાઈ! પ્રવચન સાંભળવા આવ્યા છો કે બહેનોના ચોટલા ખેંચવા?” રમેશભાઈ તરત જ જાગી ગયા, પાછા પ્રવચનમાં સ્વસ્થ થઈ ગયા.
અહીં સ્વપ્નમાં સંધ્યાકાળ, રાત્રિ અને જે નવો દેશ ઉત્પન્ન થયો હતો તે કાલ્પનિક હતો છતાં સ્વપ્નદ્રષ્ય માટે તે સાચો હતો. સ્વપ્નદ્રષ્ટા માટે તો સ્વપ્નના દેશ અને કાળ તેનાથી ભિન્ન નહોતા. જે સ્વપ્નદ્રષ્ટા જાગે તો જ તેણે અનુભવેલા દેશ અને કાળ ખોટા છે તેમ સમજી