________________
(૪૦૩) વેદાન્ત દર્શનમાં પણ બેસીને જ આસન કરવાની વાત માન્ય રાખવામાં આવી છે. અને કહ્યું છે કે “માસીનઃ સંભવીતા” “ઉપાસના બેસીને થઈ શકે છે તેવા સંભવથી” ઉપરોકત સૂત્ર વપરાયું છે.
યોગશાસ્ત્રોમાં ૮૪ આસનોને મુખ્ય માનવામાં આવ્યાં છે. અને તેમાં શરીર ડોલે નહીં અને મન વ્યાકુળ ન થાય તેવી રીતે શરીરને રાખવાની કિયા આસન છે તેમ કહેવાય છે. ૮૪ આસનોમાંથી કેટલાંક આસનોનાં નામ નીચે મુજબ છે: (૧) સિદ્ધાસન (૨) પદ્માસન (૩) દઢાસન (૪) પવન મુક્તાસન (૫) વીરાસન (૬) વામજાસગમનાસન (૭) વાતાયનાસન (૮) મયૂરાસન (૯) મત્સ્યદ્રાસન (૧૦) કુકુરાસન (૧૧) ગોરક્ષાસન (૧૨) મકરાસન (૧૩) વૃક્ષાસન (૧૪) ચકાસન (૧૫) નાડાસન (૧૬) અર્ધકુર્માસન (૧૭) ગરુડાસન (૧૮) સિંહાસન (૧૯) અંગુષ્ઠાન (૨૦) યષ્ટિકાસન (૨૧) વાસવદાસન (૨૨) હસાસન (૨૩) ગોમુખાસન (૨૪) કુર્માસન (૨૫) મત્સ્યાસન (૨૬)મંડૂકાસન (૨૭) ભુજંગાસન (૨૮) શક્રાસન (૨૯) લોલાસન (૩૦) પર્વતાસન (૩૧) ગ્રંથિભેદાસન (૩૨) કોકિલાસન (૩૩) કુંજરાસન (૩૪) વ્યાઘાસન (૩૫) ઊનિષદનાસન
ઉપરોક્ત આસનોનાં નામ ઉપરથી સ્પષ્ટ થાય છે કે ઘણાંખરાં આસનોનું તો પક્ષી અને પ્રાણીઓના અંગમરોડ ઉપરથી જ અનુકરણ કરવામાં આવ્યું
પંખી અને પ્રાણીઓને તો પ્રભુએ તેવું જ શરીર આપ્યું છે તેઓ કંઈ કોઈનું અનુકરણ કરતાં નથી, તો શા માટે માનવી અનુકરણ કરતો હશે? કદાચ એવું બને કે માનવીની પૂર્વયોનિ કોઈ પશુ કે પંખીની હોય અને દઢ થયેલા સંસ્કારો ફરી જાગે તો જ તે તેવું કરવાનો પ્રયત્ન
જો કોઈ પણ પૂર્વગ્રહ વિના વિચારીએ તો સમજાય કે આસનો કોઈ પણ પ્રાણી કે પક્ષીઓના અંગમરોડનું અનુકરણ છે પણ તે કેટલો સમય ટકી શકે? અને તેવા અનુકરણથી શો લાભ? અરે, જે લોકો વ્યાયામશાળામાં નિત્ય જાય છે અને જે સરકસમાં કામ કરે છે તેઓ ખૂબ સરળતાથી જ અંગમરોડના ખેલ કરી શકે છે તો પછી તેમને જ શ્રેષ્ઠ યોગી માનવા પડે! દેડકાં તો મહિનાઓ સુધી જમીનમાં એક જ આસને પડ્યાં રહે છે, તેમનું શું?
યોગશાસ્ત્રમાં આસન શરીર સાથે અને તેની ક્રિયા સાથે સંકળાયેલું