________________
(૪૦૧) શકે છે. આ જ રીતે જાગ્રતના દેશ અને કાળ પણ ખોટા છે, સાપેક્ષ છે, અનિત્ય છે. પણ તે સમજવા જાગૃતિની બહાર જવું પડે, અર્થાત જાગૃતિ પણ અવિદ્યાની નિદ્રા છે; તેમાંથી જાગવું પડે તો જ સમજાય કે જાગ્રત અને સ્વપ્ન બંનેના દેશ અને કાળના ખ્યાલ ખોટા છે.
દેશકાળની આવી વિચારણા બાદ નિષ્કર્ષરૂપે જે મહત્ત્વના મુદ્દા છે તે નીચે મુજબ જણાવી શકાય: (૧) દેશ અને કાળ કલ્પિત છે. તે ક્વતમાં નથી; પણ આપણા જગત
સાથેના સંબંધ પર આધારિત છે, (૨)દેશ અને કાળ સાપેક્ષ છે, જ્યારે આત્મા કે “સ્વસ્વરૂપ નિરપેક્ષ
તત્ત્વ છે. (૩) દ્રષ્ટાની ગતિ, સ્થિતિ અને સ્થળ પર દેશ અને કાળ આધારિત
(૪) બનાવ ઘટના કે ઈવેન્ટ સાથે જ કાળ જન્મે છે, (૫) સુષુપ્તિમાં ઘટના ઘટતી નથી તેથી કાળનો ખ્યાલ ત્યાં નથી, (૬) જીવ શરીર સાથે રહે તો જ “આવે” અને “જાય” અર્થાત્ કાળનો અનુભવ કરે. જો જીવ બ્રહ્મ સાથે એક થાય તો ન જન્મે કે ન મરે-કાળથી મુક્ત થઈ જાય, (૭) દેશ-કાળ અને વસ્તુ-પરિચ્છિન્નતા અનાત્મ વસ્તુમાં જ છે, (૮) mતમાં, બ્રહ્મમાં કે સાક્ષીમાં દેશ અને કાળ નથી. દેશ અને કાળ તો માત્ર ભેદદશી મનની ભ્રાંતિમાં જ સંભવી શકે.
મુમુક્ષુ કે સાધકે તો બ્રહ્મને જ એકાન દેશ; અને “સ્વસ્વરૂપને જ કાળનો પણ કાળ માની ચિંતન કરવું અને દેશ, કાળ અને વસ્તુની પરિચ્છિન્નતાથી મુક્ત થવું એ જ તાત્પર્ય છે.
આસન - આસનનો સામાન્ય અર્થ બેસવાની વિશિષ્ટ પદ્ધતિ તેવો થાય છે." આસનની ચર્ચા ચિત્તની એકાગ્રતા, તપશ્ચર્યા કે પરમાત્માની પ્રાપ્તિના સંદર્ભમાં જે કરીએ તો ખૂબ જ સ્પષ્ટ છે કે કોઈ પણ આસન લાંબો સમય