________________
મૂળ છે.
(૪૧૦)
उर्ध्वमूलमधः शाखमश्वत्थं प्राहुरव्ययम् ।
શાખાવાળા
‘‘ઊંચા શ્રેષ્ઠા પરબ્રહ્મરૂપ મૂળવાળા; નીચી અશ્વત્થ=ક્ષણભંગુર સંસારરૂપી પીપળાના વૃક્ષને અવિનાશી કહે છે.' બ્રહ્મ જ અધિષ્ઠાન છે, આધાર છે સંસારનો. સંસારના સૌ પદાર્થોને, પ્રાણીઓને સત્તા અને સ્ફૂર્તિ તે જ મૂળ દ્વારા પ્રાપ્ત થાય છે. વાસ્તવમાં સંસારની સત્તા તો પ્રાતિભાસિક છે, સ્વપ્નવત્ છે.પારમાર્થિક સત્તા માત્ર બ્રહ્મની જ છે જે સૌનું મૂળ છે. તેથી તેમાં જ ચિત્ત એકાગ્ર કરવાનો અનુરોધ છે. એવી ચિત્રૈકાગ્રતા તે જ મૂળબંધ છે. મુંડકોપનિષદમાં જણાવ્યું છે કે બ્રહ્મ જ મન, પ્રાણ અને પંચમહાભૂતની ઉત્પત્તિનું કારણ છે તેથી બ્રહ્મ જ સર્વ પ્રાણીપદાર્થનું મૂળ છે તે સ્પષ્ટ છે.
तस्मात् जायते प्राणो मनः सर्वेन्द्रियाणि च ।
खं वायुर्ज्योतिरापः पृथिवी विश्वस्य धारिणि ॥ ३ ॥
“આ પરબ્રહ્મથી જ સૃષ્ટિકાળમાં પ્રાણ, મન, તેજ, જળ, અને સર્વ પ્રાણીઓ ધારણ કરનારી પૃથ્વી તથા પાંચે મહાભૂત વગેરે ઉત્પન્ન થાય છે.’
બ્રહ્મ જ સર્વની ઉત્પત્તિનું કારણ છે તેવું તૈત્તિરીય શ્રુતિમાં પણ સમજાવેલું છે.
तस्माद्वा एतस्मादात्मन आकाशस्सभूतः । आकाशाद्वायुः । વાયોમિ: । અમેરાપઃ । अद्भ्यः पृथिवी। पृथिव्या
ओषधयः। ओषधिभ्योऽन्नम्। अन्नात्पुरुषः।
“નિશ્ચય જ તે સર્વ પ્રસિધ્ધ આ પરમાત્માથી જ સૌ પ્રથમ આકાશ ઉત્પન્ન થયું છે. આકાશથી વાયુ, વાયુથી અગ્નિ, અગ્નિથી પાણી, પાણીથી પૃથ્વી, પૃથ્વીથી ઔષધિઓ; ઔષધિથી અન્ન અને અન્નથી પુરુષ ઉત્પન્ન થયો છે.''
આમ જોતાં બ્રહ્મ જ સર્વની ઉત્પત્તિનું કારણ છે. તેથી તે જ સર્વનું મૂળ છે. સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ અને લય તેના જ આધારે છે. અર્થાત્ જો ઈશ્વર માયા દ્વારા સર્વ કાંઈ રચે છે, તો માયા અને ઈશ્વરનું મૂળ પણ બ્રહ્મ જ છે. બ્રહ્મ જ ક્ષરપુરુષ અને અક્ષરપુરુષનો આધાર છે અને તેથી પરમપુરુષોત્તમ છે. તે બ્રહ્મને જ તત્પદ અને ત્સંપદનું લક્ષ્યાર્થ મનાય છે. ચિત્તવન્ધનમ્ યત્ મૂત્તમ્ જેને માટે ચિત્ત એકાગ્ર થાય