________________
(૪૦e)
દબાવી જમણા નાસાપુટથી શનૈ: શનૈ: રેચક કરવો. આવા ચંદ્નાંગના અભ્યાસ બાદ સૂર્યંગનો અભ્યાસ કરવો. (સૂર્ય દ્વારા પૂરક અને ચંદ્ર દ્વારા રેચક) આવા અભ્યાસને મહાબંધ મુદ્રા કહેવાય છે.
આ મુદ્રાના અભ્યાસથી ઈડા, પિંગળા અને સુષુમ્ગાનો સંગમ થાય છે, અને મન ભ્રૂકુટિ વિશે રહે છે.
આ બધા યોગના બંધનું વર્ણન વાંચવાથી જ પ્રથમ તો મગજ બંધ થઈ જશે તેવું લાગે છે. ઘણી જ અટપટી ક્રિયાઓ છે અને જો ભૂલ થાય તો દોષનું નિવારણ કરવા પાછી ખટપટ કરવી પડે એટલું જ નહીં પણ અંતે મળે શું? મુમુક્ષુને તો કોઈ સિદ્ધિની જરૂર નથી. તેને અનિત્ય સિદ્ધિ જે ક્રિયાથી પેદા થાય છે તે નથી જોઈતી. તેને રસ છે માત્ર નિત્ય આત્મસ્વરૂપમાં, જે સ્વયંસિદ્ધ છે.
આગળ કહ્યું તેમ આ તમામ બંધ યોગમાં છે. જેમાં ક્રિયા છે, અભ્યાસ છે, પ્રયત્ન છે. વેદાન્તમાં ક્રિયાવાળા કોઈ બંધ નથી.
વેદાન્તમાં મૂળબંધ;
વેદાન્તમાં મૂળબંધ કોઈ ક્રિયામાં નથી. પણ જે તમામ દૃશ્યપ્રપંચનું મૂળ છે, અધિષ્ઠાન છે, આધાર છે તે જ મૂળબંધ છે.
यन्मूलं सर्वभूतानां यन्मूलं चित्तबन्धनम् ।
मूलबन्ध: सदा सेव्यो योगोऽसौ राजयोगिनाम् ॥ ११४ ॥ યત્ સર્વમૂતાનામ્ મૂલમ્=જે સર્વ પ્રાણી પદાર્થોનું મૂળ છે. વિત્તબંધનન્યત્મૂતમ્=જેને માટે ચિત્ત એકાગ્ર થાય છે તે (બ્રહ્મ જ) મૂળ છે.
અસૌ મૂત્રવન્ય:... આ બ્રહ્મરૂપ મૂળબંધ
રાનયોગિનાં સલા સેન્ચઃ ચોઃ-રાજ્યોગીઓને સદા સેવવા લાયક છે.
યમૂર્ત સર્વમૂતાનામ્=જે સર્વ પ્રાણી પદાર્થોનું મૂળ છે તે જ બ્રહ્મ કે આત્મા છે અને તે જ મારું સ્વરૂપ છે. તેથી મારા સ્વરૂપમાં કે જ્ગતના અધિષ્ઠાનમાં સ્થિતિ કરવી તે જ મૂળબંધ છે. પરબ્રહ્મ પૂર્ણ સંસારનું મૂળ છે. તેથી અહીં એવો સંકેત છે કે મુમુક્ષુએ, વેદાન્તીએ કે રાજ્યોગીએ બ્રહ્મમાં સ્થિતિરૂપ મૂળબંધ સેવવા યોગ્ય છે.
શ્રીમદ્ ભગવદ્ગીતામાં પણ એવો ઉલ્લેખ છે કે બ્રહ્મ જ સંસારનું