________________
(૪૦૫) જ આસન જાણવું અહીં શરીરની સ્થિરતા મહત્વની નથી. પણ સુખની સ્થિરતા મહત્ત્વની છે. શરીરની સ્થિતિ કરતાં ભેદભાવ વિનાની સ્થિતિ, તભાવ વિનાની સ્થિતિ, અભેદ અને અભય સ્થિતિ જ અગત્યની છે.
યોગદર્શનમાં સાધનપાદમાં સૂત્ર ૪૬માં નિર્દેશ છે કે સ્થિરકુઉમાસનમુI૪૬ | “નિશ્ચળ અને સુખ કરનારું હિોય તે] આસન છેિ] અર્થાત્ શરીર નિશ્વળ રહે અને મનને સુખ થાય તેમ બેસવું તે આસન છે. પણ યોગશાસ્ત્રમાં જણાવેલાં આસનોનો અભ્યાસ ઘણી વાર એટલો મુશ્કેલ જણાય છે કે શરીર તો સ્થિર થઈ શકે છે, પણ મન અસ્થિર થાય છે. કારણ કે શરીરને સ્થિર કરવા જતાં ઘણી વાર પગ ઉપર પગ ચડાવેલ હોય તેથી ત્યાં લોહીનું પરિભ્રમણ યોગ્ય થતું નથી; પગે ખાલી ચડે છે; તેથી મન પરમાત્માને બદલે પગમાં જાય છે.
આવી મુશ્કેલીથી બચવા અને શરીરના કષ્ટથી મુક્ત થવા વેદાન્તમાં શરીરની સ્થિરતા નહીં પણ ચિંતનના સુખની સ્થિરતાને જ અગત્ય અપાઈ છે. તેથી તાત્પર્ય એ જ છે કે સુખચેનથી બ્રહ્મચિંતન થાય તેવી રીતે જ આસનમાં બેસવું જોઈએ.
યોગશાસ્ત્રમાં આસનો માટે જે વિધિ અને પદ્ધતિ છે તેનું પાલન થવું ખૂબ જ જરૂરી છે. જો તેવું ન થાય તો તેની વિપરીત અસર થાય તેવું પણ જણાવેલું છે.
"वंशासने तु दारिद्धं पाषाणे व्याधिसंभवः। धरण्यां दःखसंभूतिर्भाग्यं छिद्रिदारजे॥
तृणे धनयशो हानि:पल्लवे चित्तविभ्रमः॥ “વાંસના આસનમાં દરિદ્રપણું, પાષાણના આસનમાં વ્યાધિની ઉત્પત્તિ, ઉઘાડી પૃથ્વી પરનાં આસનોમાં દુ:ખનો પ્રાદુભવ, છિદ્રવાળા કાષ્ઠના આસનમાં દુર્ભાગ્યપણું, તૃણના આસનમાં ધન અને યશની હાનિ અને પાંદડાંના આસનમાં ચિત્તનો વિભ્રમ થાય છે,”
આમ જે અનેક પ્રકારનાં આસનો કરવા જતાં ભૂલ થાય અને અંતે દુ:ખ જ થવાનું હોય તો તેવાં શરીર સ્થિર રાખવાવાળાં અને ખૂબ જ સાવધાનીપૂર્વક કરવાં પડતાં આસનોની ભાંગડમાં પડવાની શી જરૂર!
તેથી જ ભગવાન શંકરાચાર્યે આસનમાં થતા દોષથી મુમુક્ષુને મુક્ત કરવા એટલું જ કહ્યું કે જે રીતે બેસવાથી પરમાત્માનું ચિંતન સુખપૂર્વક થાય તેને જ આસન જાણવું અને સાથે જ કહ્યું....
રૂતરત્ માસનં ર મવતિ -અન્ય આસનો કે જેનાથી સુખનો નાશ