________________
(૩૯૮). પૃથ્વી જ તે દેશ છોડી ૨૪ ક્લાકમાં લગભગ ૧૫ લાખ માઈલ દૂર ચાલી ગઈ છે. એવું કહેવાય કે પૃથ્વી સૂર્યની આસપાસ એક સેકન્ડમાં ૧૮ માઈલ ફરે છે. તેથી દિનેશ હૉલના શ્રોતા, વક્તા અને તે હૉલની સાથે જ પૃથ્વીએ દેશ બદલ્યો છે; અને ગઈ કાલે જે દેશમાં દિનેશભાઈએ પ્રવચન સાંભળેલું તે જ દેશમાં બીજા દિવસે તે હોતા નથી. છતાં એક જ સ્થળે પ્રવચન સાંભળે છે તેવી ભ્રાંતિ દિનેશભાઈ અને સૌ શ્રોતાને થાય છે.
તેવું જ ટ્રેનની મુસાફરીમાં બને છે. અમદાવાદથી પ્રફુલ્લભાઈ સવારની ટ્રેનમાં મુંબઈ જવા નીકળે છે. અને પોતાના જ થરમૉસમાંથી ૮ વાગ્યે ચા પીવે છે. ૧૨ વાગ્યે પોતાની જ સીટ પર બેસી પોતાનું જ ટિફિન ખોલી ભોજન લે છે. અને પ્રફુલ્લિત ચહેરે કહે છે કે મેં ટ્રેનમાં એક જ સ્થળે બેસી ચા પીધી; અને ભોજન કર્યું છે. પણ ટ્રેન જ્યારે વલસાડ પહોંચે છે ત્યારે સ્ટેશન ઉપર પ્રફુલ્લભાઈને સ્ટેશન માસ્તર વાત કરતાં જણાવે છે કે તેમણે એક જ સ્થળે નહીં પણ વડોદરામાં ચા પીધેલી અને સુરતમાં ભોજન લીધેલું સ્ટેશન માસ્તરની દૃષ્ટિમાં જયારે પ્રફુલ્લભાઈએ આઠ વાગ્યે ચા પીધી ત્યારે વડોદરા હતું. બપોરે બાર વાગે સુરત હતું જ્યાં તેમણે ભોજન લીધું. એનો અર્થ એ થયો કે એક જ સ્થળમાં, દેશમાં, જુદા જુદા સમયે જે બનાવ બન્યો છે તેને જુદી દૃષ્ટિથી જોતાં જુદી જુદી ગ્યા કે દેશના ભેદ જોવામાં આવે છે.
- પ્રફુલ્લભાઈ મુંબઈ પહોંઆ અને પોતાના અનુભવની વાત એક સ્વામીજીને કહી ત્યારે તેમણે કહ્યું કે માનવશરીર જ એક ટ્રેનનો ડબ્બો છે. અને દરેક ડબ્બાની ગતિ પણ ભિન્ન ભિન્ન હોય છે. તેથી માનવી પોતાની ગતિ અને સ્થળ પ્રમાણે જ પોતાના દેશ અને કાળ નકકી કરે છે. સ્વામીજીએ વાત આગળ ચલાવતાં કહ્યું “પ્રફુલ્લભાઈ, આપની દૃષ્ટિએ આપે એક જ સ્થળે, આપની સીટ ઉપર જ, ચાહ અને ભોજન લીધું છે. પણ ભૂલશો નહીં કે આપની સીટ, તે ડબ્બો અને પ્રેમ ગતિમાં હતાં અને વળી ટ્રેન સાથે આખી પૃથ્વી પણ ગતિમાં જ હતી. તેથી આપ ભલે એક જ દેશ કે સ્થળની વાત કરો છો, પણ ગતિના લીધે દરેક ક્ષણે નવો કાળ અને નવો દેશ પેદા થાય છે. તેથી જ સ્ટેશન માસ્તર જે જમીન ઉપર છે તેની દષ્ટિમાં તમે વડોદરામાં ચા પીધી, અને સુરતમાં