________________
(૩૭૮) ગીતામાં ભગવાને કહ્યું છે કે,
प्रजहाति यदा कामान्सर्वान्पार्थ मनोगतान् ।
आत्मन्येवात्मना तुष्ट: स्थितप्रज्ञस्तदोच्यते॥अ.२/५५॥ હે અર્જુન! જ્યારે (આ પુરષ) મનમાં રહેલી બધી કામનાઓને ત્યજી દે છે (અને) મનમાં આત્મા વડે જ સંતુષ્ટ થાય છે ત્યારે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે.
આમ વાસનાના, કામનાઓના ત્યાગથી જ બુદ્ધિ સ્થિર થાય છે. અને ચંચળતાનો લય થાય છે. અને સ્થિર બુદ્ધિવાળો જ પોતા દ્વારા પોતામાં સંતુષ્ટ રહે છે. આવો સંતોષ ત્યાગ વિના શક્ય નથી. એટલું જ નહીં પણ જેની બુદ્ધિ સ્થિર થાય છે તે જ પોતાના સ્વરૂપને સમજી શકે છે અને આત્મચિંતનમાં તે સ્થિર થાય છે; સ્વરૂપમાં તેની નિષ્ઠા થાય છે. અને તે જ્ઞાનીને સમજાય છે કે હું જ સર્વનું અધિષ્ઠાન છું. જે હું અધિષ્ઠાન છું.... તો હું જ સર્વસ્વ છું. તો પછી પરિગ્રહ કોનો?
-સંગ્રહ શેની? નિગ્રહ કોનો?
જો સર્વમાં હું જ હું તો પૂર્વગ્રહ કોના માટે?
અનુગ્રહ કોના ઉપર? પણ આવું સમજાય ક્યારે? બુદ્ધિ સ્થિર થાય ત્યારે. બુદ્ધિ સ્થિર થાય ક્યારે?.... કામનાઓનો, વાસનાઓનો ત્યાગ થાય ત્યારે જ... કામનાના ત્યાગથી જ સમજાય છે કે હું અધિષ્ઠાન છું ગતનું જે કંઈ દ૨ય છે...તે મારું જ સ્વરૂપ છે. તો કોની કરું હું પ્રતીક્ષા.... લઉ કોની છું....પરીક્ષા.. છે ક્યાં મારામાં કોઈની ઉપેક્ષા બચી ક્યાં છે કોઈની અપેક્ષા કરું કઈ રીતે મારી જ હું રક્ષા?.....