________________
(૩૮૬) आदावन्ते च मध्ये च जनो यस्मिन्न विद्यते। સ્વસ્વરૂપમાં કે બ્રહ્મમાં જન્મેલું જગત કે પ્રપંચ છે જ નહીં. જેમ ઘેરીમાં ભ્રાંતિથી જન્મેલો સર્પ આદિ, મધ્ય કે અંતે નથી. અને તેથી જ સ્પષ્ટ છે કે આત્માથી અન્ય કોઈ એકાન કે વિજન દેશ નથી. જેની દૃષ્ટિમાં વૈતભાવ છે જ નહીં તેને જનસમૂહમાં પણ એકાન્ત છે, અને જેનામાં તે ભાવ છે તેને જ્વલની ગુફામાં પણ ઘોંધાટ છે. અતિ દષ્ટિથી જો ભેદનો નાશ થયો છે તો પછી પર્વતની ગુફામાં કે શહેરોની મધ્યમાં ગમે ત્યાં વસવાટ થાય છતાં કોઈ ફરક પડતો નથી. તેવી જ ભાવ અષ્ટાવક્સીતામાં જોવા મળે છે.
__ अहो जनसमूहेऽपि न द्वैतं पश्यतो मम।
अरण्यमिव सर्वृत्त क्व रतिं करवाण्यहम्॥ તે જ ઉપદેશનો ભાવાનુવાદ ભોલેબાબાએ કર્યો છે તે ખૂબ જ હૃદયગમ્ય અને હૃદયંગમ છે.
“જો આપ અપના જાન કરકે આપમેં હી મગ્ન હૈ સંતૃમ અપને આપમેં હૈ, આપમેં સંલગ્ન, હૈ!! બસ્તી બૂરી લગતી નહીં, રુચતા નહીં અરણ્ય છે! સો શુદ્ધ હૈ સો બુદ્ધ હૈસો ધન્ય હૈ, સો મને હૈ
તદર્શનમાં અને ભેદમાં જ એકાન્ત દેશની શોધ છે. જે ગત ખરેખર ઉત્પન્ન થયું નથી, જે છે જ નહીં તેનું વિધ્ધ કેવું? દોરીને કદી ભ્રાંતિરૂપી સાપનો ભય હોય? જે સર્પ છે જ નહીં તેનો વિક્ષેપ કેવો? અને જો વિક્ષેપ જ નથી તો એકાન્ત દેશની શોધ કયાં? પણ આવું તો અષ્ટાવક જેવા કોઈ જ્ઞાની જ સમજી શકે અને કહી શકે કે
નહીં દેહ મેં, નહીં દેહ મેરા, શુદ્ધ હું મેં બુદ્ધ હું ફૂટસ્થ હું, નિઃસંગ હું નહીં દેવસે સંબદ્ધ હું ઐસા જિસે નિશ્વય હુઆ, ફિર ક્યા ઉસે એકાન્ત હૈ, બસ્તી ભલે જંગલ રહે, હોતા તુરત હી શાન છે.”
ભોલેબાબા