________________
(૩૯૫)
આપણે શરીર કે જીવ છીએ તેવો ભાવ જ્યારે હોય છે ત્યારે જ જીવની ગતિ કે શરીરની વૃદ્ધિના સંદર્ભમાં ભૂતકાળ, વર્તમાનકાળ કે ભવિષ્યકાળ જન્મે છે. આપણે શરીર છીએ, તો આપણો જન્મ છે, અને જન્મ છે તો જન્મપૂર્વે ભૂતકાળ છે. અને શરીરને વૃદ્ધાવસ્થા છે તો ભવિષ્યકાળ પણ છે. આપણે જે અજ્ઞાનમાં પોતાને જીવ માનીએ તો જ આપણે શરીર છોડી જવાની ક્રિયા છે, સદ્ગતિ કે અવગતિ છે. જીવે ભૂતકાળમાં અનેક શરીર લીધાં હતાં; અને ભવિષ્યમાં શરીર ધારણ કરશે તેવી વાત આપણને લાગુ પડી શકે. પણ નિદિધ્યાસન કરતાં જ્ઞાન પ્રાપ્ત થાય અને સમજાય કે હું શરીર નથી, સાકાર નથી, જીવ નથી, તો પછી ક્યાં છે મારે જન્મ અને ક્યાં છે મારો કોઈ કાળ? જીવ જે બ્રહ્મ સાથે ઐક્ય સાધે અને બ્રહ્મ જ થઈ જાય તો તેને હંમેશાં વર્તમાન કાળ જ છે. શરીરભાવ અને દેહનું તાદાત્મ તોડી બ્રહ્મભાવમાં જીવીએ તો આપણે સર્વવ્યાપી થઈએ અને બ્રહ્મની જેમ જ આપણે ઉત્પત્તિ, સ્થિતિ અને લયથી મુક્ત થઈ શકીએ. અને તે જ ક્ષણે ભૂત, ભવિષ્ય અને વર્તમાનના બંધનથી પણ છૂટી શકીએ. ‘કાળા’નો ખ્યાલ ખોટો છે તે નીચેના દષ્ટાંતથી સમજાશે: — — — — — — — — — — — — — —
– – – – – 4'7 — — — — — — — — — — — — — — નારેશ્વર
_ _ અ અરે,
ધર .
– – – – – નર્મદા નદીના કિનારે ત્રણ ગામ છે. નારેશ્વર, અંગારેશ્વર અને ઝાડેશ્વર. એક યાત્રાળુઓનો સંઘ નૌકા દ્વારા નારેશ્વરથી પોતાની યાત્રા શરૂ કરે છે. નૌકા નદીમાં જતી હોય છે. તે વખતે નારેશ્વરના કિનારે જે લોકો ઊભા છે તેઓ કહે છે કે સંઘ તો ગયો અને અંગારેશ્વરના કિનારે જ્યારે સંઘ પહોંચ્યો ત્યારે તે ગામના લોકોએ સ્વાગત કરતાં કહ્યું કે સંઘ “આવ્યો છે. જ્યારે ઝાડેશ્વરના ઓવારા ઉપર જે લોકો ઊભા છે તેઓ જણાવે છે કે સંઘ હજુ આવવાનો છે. આમ એક જ ઘટનાનો જ્યારે જુદા જુદા સ્થળેથી લેવાનો પ્રયત્ન કરવામાં આવે છે ત્યારે બુધ જુદા કાળ પડી જાય છે. અંગારેશ્વરવાળા માટે સંઘ વર્તમાનમાં છે, ઝાડેશ્વરવાળા માટે
– – – કેશ્વ૨