________________
(૩૮૪) મન (ર) નન: વિદતે જે બ્રહ્મમાં જન્મેલું કંઈ છે જ નહીં વેન [ સતત| ચામુ= જેનાથી આ ન્ગત નિરંતર વ્યાપીને રહેલું છે. સ. વિઝન: મૃત: ટેક તે જ જનરહિત સર્વ દશ્યરહિત દેશ ગણાય
એકત્તાની શોધ માટે લોકો નિર્જન પ્રદેશની શોધમાં યાત્રા કરે છે. પણ જયારે એકાન્તનું સંશોધન બંધ થાય છે ત્યારે એકાન્ત દેશ પોતાની અંદર જ પ્રાપ્ત થાય છે.
જો એકાના દેશની શોધ માટે હિમાલય જઈશું તો ઠંડી અને બરફ વિઘ્ન તરીકે આવશે. ઠંડીથી બચવાના ઉપાયમાં જ સમય ચાલ્યો જશે. ચિંતન મનનનો સમય વ્યર્થ નષ્ટ થશે. ભૂલથી જંગલમાં તંબુ તાણીશું તો જંગલી જાનવરોનો ભય સતાવશે અને ભયભીત મન કદી ધ્યાનમાં સ્થિરતા પ્રાપ્ત નહીં કરી શકે. એટલું જ નહીં ન્ગલમાં ગાય, ભેંસ અને બકરાં ચરાવનારા આવશે. તમને તપસ્વી સમજી પોતાના સ્વાર્થે અનેક પ્રશ્નો પૂછશે. જે ગામની ભાગોળે રહેવાનું પસંદ કરીશું તો ગામડાના લોકો દર્શનાર્થે આવશે, ગામની સમસ્યાઓનું સમાધાન કરવાની જવાબદારી આવશે. મોટાં શહેરોમાં રહેવાનું પસંદ કરીશું તો મુલાકાતીઓની વણઝાર ઊભી થઈ જશે. આમ અનેક પ્રયત્નો છતાં એકાન્ત મળવાનું નથી. બધે જ વિઘ્ન દેખાશે પણ એકાન્ત કે શાન્ત પ્રદેશ દેખાશે નહીં. આમ એકાન્ત પ્રદેશ શોધવાથી મળવાનો નથી. સાચો એકાન્ત દેશ એટલે જ અનેકમાં એકનું જ્ઞાન થવું જે આત્માથી સર્વ કંઈ વ્યાપ્ત છે અને જેના આદિ, મધ્ય કે અન્તમાં કોઈ પણ જન્મેલું જ નથી તે આત્મસ્વરૂપ જ નિર્જન પ્રદેશ છે અને તે જ એકાના દેશ છે.
એકાન દેશ વાસ્તવમાં મનમાં જ છે મનમાં અનેક પદાર્થોની વાસના હશે તો ત્યાં અવનવા વિષયોની માગણી માટે શોરબકોર અને ઘોંધાટ હશે. અને વસ્તુ, વિષયો, પદાર્થો, વ્યક્તિઓની અવરજવર અને હિલચાલ મનમાં ચાલ્યા જ કરશે પણ જ્યારે વાસનાનો અંત આવશે, ભેદદષ્ટિ સમાપ્ત થશે અને મન અભેદદશ બનશે ત્યારે તે મનમાં પોતાથી અન્ય, ભિન્ન, જુદો કોઈ કાંઈ હશે જ નહીં. અને તેવા અતિશ, ઐક્યદશી મનમાં જ એકાન્ત પ્રદેશ હાથ આવશે. “સ્વસ્વરૂપથી