________________
નિમેષતઃ... નિમેષની ગણતરીથી
બ્રહ્માવીનામ્ સર્વ ભૂતાનામ્ તના=બ્રહ્માદિ સમસ્ત પ્રાણી પદાર્થોની ક્લન-આક્લન (ઉત્પત્તિ-સ્થિતિ-લય) કરવાથી
અણંડાનન્દ્ અય: ફ્રિ=અખંડાનંદ અય (બ્રહ્મ) જ વાતાબ્વેન નિર્વિષ્ટઃ=‘કાળ’શબ્દથી ઓળખાય છે.
(૩૮૮)
અહીં આ વ્યાખ્યામાં કાળ એટલે જ બ્રહ્મ એમ કહેવાયું છે. બ્રહ્મનો બીજો શબ્દ કાળ છે તેવો અર્થ અહીં થયો. તેથી સ્વાભાવિક પ્રશ્ન ઊઠે કે બ્રહ્મને કાળ કેમ કહ્યો છે?
કારણ કે બ્રહ્મ જ સર્વનું અધિષ્ઠાન છે. અને પરમાણુથી માંડીને બ્રહ્માજી આદિ સર્વ ભૂતોના આયુષ્યની ગણતરી બ્રહ્મના સંદર્ભમાં જ થાય છે. અર્થાત્ સૌના આયુષ્યની ગણનામાં અખંડાનંદ અય બ્રહ્મ આધાર છે તેથી બ્રહ્મ જ કાળ છે તેમ કહ્યું છે.
પ્રાચીન સમયમાં કાળને માપવા માટે પદ્ધતિ હતી તેમાં એવી પ્રથા હતી કે જેટલા સમયમાં સૂર્ય પરમાણુસ્થાનનું અતિક્રમણ કરે, તેટલા સમયને પરમાણુકાળ એવું નામ આપવામાં આવતું. અને તે મુજબ
બે પરમાણુ=એક અણુ ત્રણ અણુ=એક ત્રસરેણુ ત્રણ ત્રસરેણુ=એક ત્રુટિ ૧૦ત્રુટિ=એક વેધ
ત્રણ વેધ=એક લવ
ત્રણ લવ–એક નિમેષ
અઢાર નિમેષ=એક કાષ્ઠા
ત્રીસ કાષ્ઠા=એક કલા
ત્રીસ કલા=એક ક્ષણ અથવા એક પળ સાઠ (૬૦) ક્ષણ=એક ઘડી સાઠ (૬૦)ઘડી=એક અહોરાત્ર ત્રણસો સાઠ (૩૬૦) અહોરાત્ર=એક વર્ષ ૧૭,૨૮,૦૦૦ વર્ષી=સત્યયુગ ૧૨,૮૬,૦૦૦ વર્ષોં=ત્રેતાયુગ ૮,૬૪,૦૦૦ વર્ષોં=દ્વાપરયુગ ૪,૩૨૦૦૦ વર્ષો=કળિયુગ