________________
(૩૬૯)
यदहरेव विरजेत्तदहरेव प्रव्रजेत्। જે દિવસે વૈરાગ્ય જાગે તે જ દિવસે પરિવ્રાજક અર્થાત્ સંન્યાસી થવું'. અહીં એવો સંકેત કૃતિ દ્વારા મળે છે કે સ્મશાનવૈરાગ્ય નહીં પણ ખરેખર નિત્યઅનિત્યના વિવેક દ્વારા સંસારનું મિથ્યાત્વ સમજાય તો ક્ષણમાત્ર પણ વિચાર કર્યા વિના ત્યાગ કરવો અને સંન્યાસી થવું
સંન્યાસી થવું એટલે શું? સંન્યાસથી ત્યાગ ફલિત થાય? સંન્યાસ એટલે જ ત્યાગ.
ત્યાગ અને વૈરાગ્ય જ આત્મપ્રાપ્તિનો અંતિમ માર્ગ છે તેવું જણાવતાં બૃહદારણ્યક શ્રુતિ જણાવે છે કે
एतमेव प्रवाजिनो लोकमिच्छन्त: प्रव्रजन्ति આ આત્મલોકની ઇચ્છાથી જ ત્યાગી પુરુષ સર્વસ્વનો ત્યાગ કરી ચાલ્યા જાય છે અથતુ સંન્યાસી થાય છે. અને જે સંન્યાસી થાય છે તે પુત્રની ઇચ્છા, ધનની ઇચ્છા, અને લોકેચ્છા- એટલે માન, મોભો, મરતબો, સન્માન વગેરેને ત્યાગે છે અને ભિક્ષાચર્યા કરતા ફરે છે. તેમ જણાવતાં બૃહદારણ્યક શ્રુતિ કહે છે કે __ "पुत्रैषणायाश्च वितैषणायाश्चलोकैषणायाश्च व्युत्थायाय भिक्षाचर्य चरन्ति।"
આમ સ્મૃતિ, શ્રુતિ અને શાસ્ત્રોમાં ત્યાગનું મહત્ત્વ ખૂબ જ છે. અને તેવા ત્યાગને ધ્યાનમાં રાખીને જ કૃષ્ણ પરમાત્માએ ભગવદ્ગીતામાં અનેક સ્થળે વૈરાગ્ય અને ત્યાગનો સંદેશ આપ્યો છે. અહીં જે પ્રપંચરૂપના ત્યાગની વાત થઈ છે; તે જ વાત ગીતામાં સંસારવૃક્ષના છેદન માટે; અસંગશસ્ત્રથી કરવામાં આવી છે. અને અસંગશસ્ત્ર એટલે જ વૈરાગ્ય. વૈરાગ્યરૂપી શસ્ત્ર વિના સંસારવૃક્ષનું છેદન અશક્ય છે. માટે જ ભગવાને કહ્યું કે અશોખ ન છિન્દી | વૈરાગ્યરૂપી શસ્ત્ર વડે દઢતાથી કાપી નાખ', અર્થાત્ પ્રબળ વૈરાગ્ય અને ત્યાગ દ્વારા તું નામ અને આકારવાળા સંસારનો નાશ કર. અહીં સ્પષ્ટ છે કે સંસારનો સંગ હશે ત્યાં સુધી અસંગ આત્માનો સાક્ષાત્કાર થઈ શકશે નહીં. અને જે ક્ષણે વૈરાગ્ય કે ત્યાગ દ્વારા સંસારનો નાશ થશે, પ્રપંચનો લય થશે, તે જ ક્ષણે મોક્ષ પ્રાપ્ત થશે. અને દશ્યપ્રપંચથી છુટકારો થશે. માટે જ અહીં શ્લોકમાં ભગવાન શંકરાચાર્યજી જણાવે છે
યતઃ મોલમ: સદ: આવા ત્યાગથી તરત જ મોક્ષ પ્રાપ્ત થાય છે. કામનો તાગ જ સર્વશ્રેષ્ઠ ભાગ છે.