________________
(૩૭૪) वाचो यस्मानिवर्तन्ते तद्वक्तुं केन शक्यते।
प्रपञ्चो यदि वक्तव्य: सोऽपि शब्दविवर्जितः ॥ १०८॥ ચશ્મા( વાવ: રિવર્તને જે બ્રહ્મથી વાણી આદિ પાછાં ફરે છે. તન (દ) વવત્ત ન રાવતે તે (બ્રહ્મનું) વિવેચન કોઈથી થઈ શકે? વિ પન્ન: વસંતવ્ય: જે પ્રપંચ વાણી દ્વારા કહેવાય (એમ કહો) સ: મ શબ્દ વિવર્જિત તોપણ તે અનિર્વચનીય છે અર્થાત્ શબ્દવર્જિત
इति वा तद्भवेन्मौनं सतां सहजसंज्ञितम् ।
गिरामौनं तु बालानां प्रयुक्तं ब्रह्मवादिभिः॥१०९॥ તિ વા.. =બ્રહ્મ અને સંસાર બન્ને અનિર્વચનીય છે, તત્ મને ખવે... તેથી મૌન થવું (તથી બ્રહ્મ કે પ્રપંચ માટે વાદવિવાદનો
ત્યાગ) તે જ મૌન થવું છે, સતાં સદર સંતિમુ (આમ) સંતોનું મૌન=વાદરહિત થવું તે સહજ સંજ્ઞક
હોય છે. જામીનં તુ વાતાનામ્ બ્રહ્મવામિ. યુવા વાણીનું મૌન મૂંગા-મૂંગા રહેવું તે તો બાળકો માટે અજ્ઞાની માટે છે. તેવું બ્રહ્મજ્ઞાનીઓએ કહ્યું છે.
અહીં મૌનની એક અલૌકિક વ્યાખ્યા આપવાનો અદ્ભુત પ્રયત્ન થયો છે. જેમાં એવું કહેવાયું છે કે જે યોગીઓને ગમ્ય સ્થિતિ છે તે જ મૌન છે અથતું “યત મીનં યોિિમ ” યોગીઓને, જ્ઞાનીઓને જે ગમ છે તે તો બ્રહ્મ છે અને તે બ્રહ્મમાં સ્થિતિ એ જ મૌન કહેવાય તેવું સ્પષ્ટ છે.
બ્રહ્મને કે બ્રહ્મસ્થિતિને મૌન એટલા માટે કહ્યું છે કે તે પરબ્રહ્મ મન, વાણી અને ઇન્દ્રિયોનો અવિષય છે. પરબ્રહ્મ પ્રત્યક્ષ નથી તેથી ઈન્દ્રિયો તેને પ્રાપ્ત કરવા અશક્તિમાન છે. તેમ જ તે બ્રહ્મ પરોક્ષ પણ નથી તેથી મનના અનુમાનનો વિષય પણ ન થઈ શકે. આમ જે પ્રત્યક્ષ કે પરોક્ષ નથી, નામી કે સાકાર નથી; દશ્યોદશ્યથી પર છે અને તે જ કારણથી તે વાણીનો વિષય પણ નથી. બ્રહ્મ તો વાચાતીત છે. માટે જ બ્રહ્મને મૌન કહ્યું છે અને મૌન તે જ બ્રહ્મ છે તેવી વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કર્યો છે. પરબ્રહ્મ તો પરમ શાન્ત સ્વરૂપ છે. વિષમતાથી મુક્ત સમ છે તેથી પણ બ્રહ્મને મૌન કે મૌનને બ્રહ્મ કહ્યું તે યથાયોગ્ય જ છે.