________________
(૩૭૬) આમ, એક દષ્ટિકોણથી સમજાયું કે બ્રહ્માનંદની અનુભૂતિનું વર્ણન વાણી દ્વારા શક્ય નથી માટે શાનીએ મૌન સેવન કરવું
બીજા અભિગમથી વિચારતાં પણ સ્પષ્ટ છે કે વાણી દ્વારા પ્રભુ પ્રાપ્ત થઈ શકે તેમ નથી માટે પણ મૌન જ શ્રેષ્ઠ છે. અને તેથી જ કહ્યું “તમત્સવંત ૩૫.”
“લખવું અને બકવું નકામું હા! વધ્યું અવળું બધે! લખવા અને બકવા થકી; પ્રભુ ના મળે, પ્રભુ ના મળે!”
“વૃથા બકવાદમાં ભાઈ ન ઝાંખી ઈશની ક્યાંઈ? બકી મૂવા વિબુધ ભારી; ન શાન્તિની કણી પાઈ?”
-શ્રી રંગ અવધૂત અને જે એમ વિચારાય કે મૌનરૂપ થવું એટલે જ બ્રહ્મરૂપ થવું તોપણ શ્લોકમાં અપાયેલ સંદેશ અને આદેશ ખૂબ સૂચક છે કે જ્ઞાનીએ સર્વદા બ્રહ્મરૂપ થવું. અને બ્રહ્મરૂપ થવું તે સર્વશ્રેષ્ઠ મૌન છે. બ્રહ્મથી વધુ શાન્તિમય કાંઈ જ નથી. જે બ્રહ્મરૂપ થાય છે તે જ પોતાને શાન્ત સ્વરૂપ તરીકે જાણે છે અને શાશ્વત શાનિ પામે છે. તેથી જ હયું “તમત્સર્વા
.”
જ્ઞાનીએ બ્રહ્માનંદની અનુભૂતિને અભિવ્યક્ત કરવામાં મૌનસેવન કરવું. બ્રહ્મપ્રાપ્તિ માટે પણ મૌન રાખવું અને વાદવિવાદ કે વિતંડાવાદથી બચવા માટે પણ મૌન રાખવું. આમ છતાં જો કોઈ શિષ્યભાવે, નમ્રતાથી આવે અને પ્રણિપાત દ્વારા પ્રશ્ન કરે તો સંવાદ કરવો; વાદવિવાદ નહીં. આવો સંવાદ જરૂરી છે, સાર્થક છે તેમ છતાં જો જ્ઞાનીને જરૂરી જણાય તો શિષ્યના પ્રશ્નના સંદર્ભમાં તે મૌન રાખી શકે છે. અને જ્ઞાની કે ગુરુનું મૌન સાધક કે શિષ્યના સંશયોને, શંકાઓને પ્રશ્નોનું નિર્મૂળ કરવા માટે સમર્થ બને છે.
गुरोस्तु मौनं व्याख्यानं शिष्यास्तु छिन्नसंशयाः। માટે જ, મૌનને સાંભળો અગોચરને ઓળખો અસ્પશ્યને સ્પર્શી અગમને વાંચો