________________
(૩૭૩)
મૌન
મૌન મોટા ભાગે તપશ્ચર્યાનો એક ભાગ છે તેવું મનાય છે અને વાણીના સંદર્ભમા જ મૌન વપરાય છે. અને તેવા મૌનના બે પ્રકાર છે: (૧) કાષ્ઠ મૌન અર્થાત્ માત્ર વાણીથી જ અભિપ્રાય વ્યક્ત ન કરવો તેમ નહીં પણ શરીરનાં અવયવોની કોઈ પણ ચેષ્ટા વડે પોતાના અભિપ્રાયને અભિવ્યક્ત ન કરવો અને કાષ્ઠ જેમ=લાકડા જેમ=જડવત્ પડ્યા રહેવું. (૨) આકાર મૌન અર્થાત્ માત્ર વાણી દ્વારા જ પોતાના અભિપ્રાયને વ્યક્ત ન કરવો. આવા આકાર મૌનનું વ્રત રાખનાર બે તોલાની જીભ હલાવવાનું મુશ્કેલ સમજે છે પણ પાંચ કિલોનું માથું હલાવવામાં સરળતા સમજે છે! કયું સરળ છે!
સંત કવિ શ્રી નરસિંહ મહેતા જણાવે છે તે પ્રમાણે વાદવિવાદથી મુક્ત થવું તે જ મૌન છે. કારણ કે જ્યાં પક્ષાપક્ષ છે ત્યાં પરમેશ્વર નથી. ધર્મ અને ઈશ્વર શ્રદ્ધાનો વિષય છે. વાદવિવાદથી શ્રદ્ધાનું ખંડન થાય છે. તેથી ધર્મ અને ઈશ્વર સંબંધે વાદવિવાદ ન કરતા મૌનસેવન જ શ્રેષ્ઠ છે.
સાધકને સંબોધન કરતાં સાધનપંચકમાં આદિ શંકરાચાર્યજી જણાવે છે કે...
" देहेऽहम्मतिरुझ्यतां बुधजनैर्वादः परित्यज्यताम् ” ‘દેહમાં અહમ્બુદ્ધિનો ત્યાગ કરો અને જ્ઞાની જોડે વાદવિવાદ છોડી દો.” અર્થાત્ જ્ઞાની સાથે મૌન રાખી જ્ઞાન પ્રાપ્ત કરો.
નિદિધ્યાસનના સંદર્ભમાં અહીં ભગવાન શંકરાચાર્યજી અર્વાચીન અભિગમ દ્વારા મૌનને ત્રણ શ્લોક દ્વારા સમજાવે છે.
यतो वाचो निवर्तन्ते अप्राप्य मनसा सह ।
यन्मौनं योगिभिर्गम्यं तद्भजेत्सर्वदा बुधः ॥ १०७ ॥
યત: અપ્રાપ્ય નિવર્તતે-જે (બ્રહ્મને) જાણ્યા વિના વાવ: મનસા સમન સહિત વાણી વગેરે ઇન્દ્રિયો પાછી વળે છે, યત્ માનં યોશિમિ: મ્યમ્=જે યોગીઓથી પ્રાપ્ત કરવા યોગ્ય છે તે જ મૌન છે.
બુધ: સર્વલા તત્ મનેત્=જ્ઞાનીએ સર્વદા તે મૌનરૂપ
=
બ્રહ્મરૂપ થવું.