________________
(૩૬૬) છે મારું શરીર. ચાલ, તેનો પણ ત્યાગ કરું! હજુ પણ ક્ય શરીરને પોતાની માલિકી સમજે છે તેથી જ શરીરના ત્યાગની વાત વિચારે છે. શરીર મારું છે તેવો ભાવ જ્યાં સુધી મોજુદ છે ત્યાં સુધી શરીર ત્યજાઈ જશે છતાં “મનમાવે- “મારે છે તેવો ભાવ બચી જશે. અને શરીરની વાસના એક નહીં અનેક શરીરને પ્રાપ્ત કરશે. પણ કચ આ વાત સમજયો નહીં તેથી તેણે ચિતા સળગાવી અને શરીર ત્યજવા અગ્નિમાં કૂદવાની તૈયારી કરી....અને જયારે કચ કૂદવા તત્પર થયા અરિમાં કે તરત જ બૃહસ્પતિએ આવીને તેમનો હાથ પકડયો અને કહ્યું આ રીતે શરીરત્યાગ ન થાય. જે શાન હશે તો જીવતાં જ શરીર તઈ જશે. જે ત્યાગ જ કરવો હોય તો હું શરીર છું અને શરીર મારું છે તેવા ભાવનો ત્યાગ કર; નહીં તો એક શરીર છોડવાથી અનેક શરીરો પ્રાપ્ત થશે.
કચં: તો ત્યાગ એટલે શું? બૃહસ્પતિ - “નિત્તાત્યા વિઃ સર્વ ત્યા”
ચિત્તનો ત્યાગ એ જ સર્વ વસ્તુનો ત્યાગ છે.” જ્ઞાની શરીર, મન, બુદ્ધિ, ઈોિ સૌને ત્યાગે છે “સ્વ” સ્વરૂપના જ્ઞાન દ્વારા. સ્વરૂપનું કે આત્માનું જ્ઞાન થવાથી આપોઆપ આનાત્માનો ત્યાગ થઈ જાય છે. દોરીના જ્ઞાનમાં સર્પનો સહજતાથી વિના પ્રયત્ન ત્યાગ થાય છે. અધિષ્ઠાનના જ્ઞાનમાં આરોપનો અનાયાસે જ ત્યાગ થાય છે. જ્ઞાન વિના ત્યાગ દુષ્કર છે; અસંભવ છે.
જ્યારે આપણે કોઈ વસ્તુનો, પદાર્થનો ત્યાગ કરીએ છીએ ત્યારે પ્રથમ માનીએ છીએ કે વસ્તુ કે પદાર્થ છે. જયારે જ્ઞાનમાં વાસ્તવમાં કોઈ વસ્તુની ઉત્પત્તિ જ નથી. અને જે વસ્તુ, પદાર્થ છે તો તે અજ્ઞાનમાં છે, આરોપ તરીકે છે, મિથ્યા છે. જે વસ્તુ જ નથી તો ત્યાગ ક્વો? અને મિથ્યાનો ત્યાગ તો ત્યાગ જ નથી. પણ મિથ્યા વસ્તુને આપણે આપણી માની છે તે તો ભ્રાંતિ છે. “વસ્તુ છે,’ ‘પદાર્થ છે અને તે ‘મારી મિલકત છે બન્ને ભાવ અજ્ઞાનની જ નીપજે છે. ચિત્ત કે મન જ આવો ભાવ પેદા કરે છે. કારણ કે ચિત્ત જ ભેદર્શન કરે છે અને અન્યને પોતાનું માની માલિકી ભાવ ઊભો કરે છે. માટે જ સમાજમાં ભાગની શાંતિ પ્રવર્તે છે. આવા ભેદદથી ચિત્તનો જ જયારે ત્યાગ થાય છે ત્યારે નથી કંઈ મારું નથી હું કોઈનો માલિક પછી જ ખરેખર ત્યાગ જન્મે છે. ચિત્ત જ જ્યારે ત્યજાઈ જાય ત્યારે સમગ્ર