________________
(૩૫૯)
નથી વ્યષ્ટિ કે સમષ્ટિ;
નથી કોઈ પિંડ; નથી ક્યાંય બ્રહ્માંડ;
નથી વ્યક્તિ કે વિરાટ;
નથી કોઈ કારણ કે નથી કોઈ કાર્ય આત્મા માત્ર એક અધિષ્ઠાન છે.
તેમાં કોઈ જોડકાં કે ધંધ નથી;
આત્મા તો કંધના યુદ્ધથી મુક્ત છે.
તે બધું આરોપમાં છે;
અધિષ્ઠાનમાં નહીં.
હું સૌનું અધિષ્ઠાન છતાં સૌથી નિર્લેપ છું.
હું નિત્ય મુક્ત છું.
મારે મુક્તિની જરૂર નથી.
બંધન મનની ભ્રાંતિ છે.
મારા શુદ્ધ સ્વરૂપમાં મન નથી તો બંધન ક્યાં?
મને બંધન નથી; તો મુક્તિની વાત ક્યાં?
હું તો દેશ, કાળ અને વસ્તુથી અપરિચ્છિન્ન આત્મા છું.
‘દેશ’ મનની ભ્રાંતિ છે.
‘કાળ’ મનનો ખોટો ખ્યાલ છે.
‘દેશ’ કાળ, વસ્તુનાં બંધન તો ભ્રાંતિમાં છે,
અજ્ઞાનમાં છે, આરોપમાં છે,
હું અધિષ્ઠના છું. નિત્યમુક્ત છું.
મારી હાજરીમાં આરોપ હોય.
પણ
મારા જ્ઞાનમાં આરોપ હોઈ શકે નહીં.