________________
(૩૦) આ પ્રમાણે જે સતત ચિંતન થાય છે તેને સજાતીય વૃત્તિપ્રવાહ કહેવામાં આવે છે. શબ્દો બદલાય છે છતાં તેમાં એક જ તત્ત્વ ઉપર વિચારપ્રવાહ ચાલે છે. અને તે તત્વ એ જ આત્મતત્વ કે બ્રહ્મતત્ત્વ વિચારનું કેન્દ્ર બદલાતું નથી; ભલે વિચારો બદલાય. આવું ચિંતન કરતાં કરતાં અંતે....
હું સત્ છું. ચિત્ છું. આનંદ છું. અભય હું અદ્વૈત હું. એક હું....અનન્ત.હું.
અને આત્મવિચારવાળી અખંડાકારવૃત્તિ પણ અંતે ડુબી જાય છે. જોવી રીતે કચરાને પાણીમાં ડુબાડી અને ફટકડી પોતે પણ ડુબી જાય છે તેમ,
અંતે બચે છે વૃત્તિવિહીનતા...અને “સ્વ” સ્વરૂપ સાથે અનાયાસે અલૌકિક અકસ્માત સર્જાઈ જાય છે....તે જ છે પરમ આનંદ આપનારો નિયમ...જેમાં સજાતીયવૃત્તિપ્રવાહનો સહારો લઈ આત્મચિંતન કરવામાં આવે છે અને અંતે તે વૃત્તિ પણ નામશેષ થઈ જાય છે, અને
સ્વ” સ્વરૂપની અનુભૂતિ માત્ર બચી જાય છે. આ જ છે મુમુક્ષુ માટે સર્વશ્રેષ્ઠ નિયમ.