________________
(૩૫૭)
દ્વૈત છે જ નહીં; સર્વત્ર બસ હું જ હું!
તો મને મારો ભય ક્યાંથી?
જે દૃશ્યમાત્ર બ્રહ્મ જ છે; તો પણ ભય નથી. ભય નથી, કારણ બીજું નથી.
દ્વૈત છે તેવી ભ્રાંતિ છે, તો ભય પણ ભ્રાંતિ છે.
હું ભ્રાંતિમાં નથી, ભ્રાંતિ મારામાં નથી.
તેથી
હું અભય છું.
અભયનું
અદ્વૈતનું
કોઈ વિજાતીય રૂપ નથી.
તેથી અનાત્મવિચારથી અસંગ હું
અને
આત્મવિચારનું કેન્દ્ર હું. સૃષ્ટિનો આધાર
ને
દૃશ્યપ્રપંચનું અધિષ્ઠાન હું.
હું અસ્તિત્વ માત્ર છું
એટલે સત્સ્વરૂપ છું.
હું મારા સત્ સ્વરૂપને જાણનાર છું.
એટલે ચિત્ સ્વરૂપ પણ હું જ છું.
હું જડ નથી, ચેતન છું.
ચૈતન્યમય છું તેવું પણ હું જાણું છું. આમ જ્યારે હું મને