________________
(૩૫૫) હું જાણું છું કે હું સત છું. એનો અર્થ એ જ કે હું માત્ર હોઉં અને મને જાણતો ન હોઉં તો હું જડ થયો. હું જ નથી. કારણ હું મને જાણું છું ચિત્ દ્વારા; ચૈતન્ય દ્વારા તેથી જ ई सत् छ भने चित् छु. વિત એટલે જ જ્ઞાનસ્વરૂપ હોવું આમ હું કહુ રિત છું. અરે, હું જ્ઞાનસ્વરૂપ અને અનન્ત છું. “સત્યમ્ જ્ઞાનમ્ બનતમ્ બ્રહ્મ
હું સર્વનો જ્ઞાતા, જ્ઞાનસ્વરૂપ છું. હું અનંત છું. મારો દેશથી, કાળથી કે વસ્તુભેદથી અંત નથી. અન્ન તો સાકાર શરીરનો હોય. ન હું આકાર, ન શરીર, નથી મારે વૃદ્ધિ કે વિકાર, નથી મારે રોગ કે નાશ. હું તો આધિ, વ્યાધિ, ઉપાધિથી મુક્ત છું. હું નિરાકાર તેથી સ્થૂળ શરીર નથી. સૂક્ષ્મ શરીર માટે હોઈ શકે નહીં. તે તો આવજા કરનારું છે; વાસના સાથે; તેવા ગર્ભમાં હું આવાગમનના ફેરાથી સ્વતંત્ર છું. હું ક્યાંય જઈ શકું નહીં, કારણ કોઈ સ્થળ એવું નથી જ્યાં હું નથી. હું કારણ શરીર નહીં, તે તો અજ્ઞાન છે. હું સ્વયં જ્યોતિ, જ્ઞાનસ્વરૂપ છું.