________________
(૩૫) નાશ નથી એટલે અવિનાશી હું જ છું. અવિનાશી અર્થાત ત્રણે કાળે છું. કોઈ કાળે નહોતો, નથી, નહીં હોઉં તેવું નથી. અર્થાત હું છું, હતો અને હોઈશ. કાળાતીત હું અનાદિ અને અનંત હું. હું ત્રણે કાળમાં છું. એટલે હું સત્ છું. સતું એટલે જ અસ્તિત્વ છું હું. સનો કદી અભાવ નથી. તેથી મારે પ્રાગભાવ નહોતો, પ્રધ્વસાભાવ નહીં હોય. હું શરીરના જન્મ પૂર્વે નહોતો. એટલે મારો અભાવ હતો તેવું નહીં. શરીરના વિલય બાદ પુન: મારો અભાવ થશે તેવું પણ નહીં. સનો કદી અભાવ નથી, અસત્નો કદી ભાવ = અસ્તિત્વ નથી. હું સત્ છું. એટલું જ નહીં પણ હું જાણું છું કે હું સત્ છું. અને
આ
જાણવું એટલે જ હું ચિત્ સ્વરૂપ છું, ચૈતન્યમય છું. અસ્તિત્વ' કે “ભાવ” તો ઘણાને હોય; તે “સત કહેવાય. બે વૃક્ષો વર્ષોથી સાથે હોય છતાં એકબીજાથી અજ્ઞાત હોય પણ હું મારા સ્વરૂપથી અજ્ઞાત નથી.