________________
(૨૮૯).
પડી પડીને પડવામાં પણ જે એક નંબરનો બની શકે તો ભલે પડે: મેં સાંભળ્યું છે કે કોઈ પ્રેમ કરે તો કહેવાય છે કે તે પ્રેમમાં પડ્યો છે. પ્રેમમાં પડવાનું જ હોય છે. સાચું છે અજ્ઞાની હોય તેણે અને વાસના વધારવી હોય તેણે નિસંકોચ પડવું.....
મોહમાં પડી.. મોહાંધ થવું
કર્મમાં પડી...કામી થવું સંસ્થામાં પડી... સ્વાથ થવું
પ્રપંચમા પડી...પ્રપંચી થવું. ગામડામાં વીજળી ન હોય, કાદવ-કીચડનો રસ્તો હોય અને પડે છે..પણ શહેરોમાં પણ સાંભળ્યું છે કે લોકો સમૂહમાં પડે છે...ફલેટમાં પડે છે. ફ્લેટ થઈ જાય છે.
અભણ તો પડે!
આજે ભણેલા વિદ્વાનો પણ પડે છે...પોથામાં
પોથામાં પડી પંડિત થવું. “વાંચી વાંચી પંડિત મૂવા, ખોદી ખોદી મુવા ચૂવા, બાપ એ તો પડવાના
કૂવા.”
પડો; ભાઈ પડો; જે પ્રપંચ નથી; તેમાં જરૂર પડો; કર્મના મહાસાગરમાં પડવું હોય તોય પડો; વાસના વધારો; અને પોતાનું પતન કરો.” "कृति महोदधौ पतन कारणम् फलमशाश्वतं गतिनिरोधकम्'
-રમણ મહર્ષિ અજ્ઞાનીને પ્રવૃત્તિ કે કર્મમાં પડતો રોકવો નહીં તેવું ભગવદ્વચન ગીતામાં છે. કારણ, જ્ઞાન સમજશે નહીં, અને કર્મ છોડી દેશે....તો તેને હાનિ થશે.
“ દ્વિમેવું નનયેજ્ઞાન લીનામું' (૩-ર૬) કર્મમાં આસક્તિવાળા અજ્ઞાનીઓની બુદ્ધિમાં ભેદ ઉત્પન્ન ન કરવો.”
તેથી જ તો સૌએ સ્પષ્ટ સમજી લેવું કે જે પ્રપંચ ખરેખર વાસ્તવિક નથી છતાં અજ્ઞાની તેમાં પડવા માગતો હોય તો...પડવા દેવો...રોક્યો નહીં અને ભૂલથી પણ તેને વાસનાક્ષયની, કર્મનિવૃત્તિની, કે જ્ઞાનથી જ કર્મો નષ્ટ થાય છે તેવી વાત ન કરવી. કારણ કે પ્રવૃત્તિમાં આસક્તિવાળા અજ્ઞાનીઓ
ક્ષીનામું અજ્ઞાની આવી વાત શ્રવણ કરવા ટેવાયેલા નથી. તેમને એવું જ શ્રવણ કરવું ગમે જેનાથી તેમની પ્રવૃત્તિને કે અહંકારને ગોબો