________________
(૩૧૧)
જો ‘જ્ઞાતા’ને ‘શેય'ન બનાવી શકાય તો જ્ઞાનપંથે કરેલા સર્વ પ્રયત્ન નિરર્થક છે. અને ‘જ્ઞાતા’ને જ્ઞેય' બનાવી શકાય તો ‘બ્રહ્મજ્ઞાતા' પોતે જ ‘બ્રહ્મ' બની જાય -“બ્રહ્મવિદ્ દ્રધ્રુવ મતિ” અને વ્યક્તિ પોતાને બ્રહ્મસ્વરૂપ જાણે તો સર્વ સંશય સમાપ્ત થાય; અવિઘા, કાળ અને કર્મનું સ્મશાન સર્જાય, પ્રારબ્ધ, આગામી અને સંચિતકર્મ ભસ્મીભૂત થાય...અને એ જ છે મર્મ નિદિધ્યાસનનો...એ જ છે...અંતિમ લક્ષ્ય નિદિધ્યાસનનું...તત્ત્વને જાણ્યા વિના; જન્મ...મરણના...ચક્રથી મુક્તિ નથી તે જ્ઞાને ન મુન્તિઃ અને જ્ઞાનાત્ મુક્તિ: જાણવાથી જ મુક્તિ છે તેવું કહ્યું છે.
“ज्ञेयं यत्तत्प्रवक्ष्यामि यज्ज्ञात्वाऽमृतमश्नुते ।”
જે જાણવા યોગ્ય (છે) તેને જાણીને (મનુષ્ય) અમરતાને પામે છે.આ વાતને હું સારી રીતે કહીશ.
અહીં ‘જાણવા’ ઉપર જ મહત્ત્વ અપાયું છે કારણ છે કે તે જાણ્યા સિવાય બીજો રસ્તો જ નથી. ‘નાન્યઃ પન્થા:' માટે જ શ્રીકૃષ્ણ વારંવાર ‘જાણવાની’ વાત ગીતામાં કહે છે. ક્ષેત્રમાંં ચાપિ મામ્ વિદ્ધિ સર્વક્ષેત્રેવુ માત !'' “મામ્ વિદ્ધિ” મને જ જાણ. અહીં પણ કહ્યું કે સર્વ શરીરોમાં મને જ જાણનાર=‘ક્ષેત્રજ્ઞ’ જાણ અને તેવું જ ચતુર્થ અધ્યાયમાં કહ્યું કે “નન્મ વર્મ 7 મે વિજ્યમેવ યો વેત્તિ તત્ત્વતઃ’
त्यक्त्वा देहं पुनर्जन्म नैति मामेति सोऽर्जुन ॥ ४-९॥
અહીં પણ ભગવાને “ય: વેત્તિ તત્ત્વત:” કહ્યું છે અર્થાત્ જે તત્ત્વથી જાણે છે પરમાત્માનાં દિવ્ય કર્મ અને દિવ્ય જન્મ તે શરીર છોડયા પછી ફરી પુન:જન્મને પામતો નથી. પણ પરમાત્માએ કહ્યું છે કે “મામ્ તિ’-મને જ પામે છે. અર્થાત્ સત્ વિદ્ઞાનન્દ્ર સ્વરૂપ પરબ્રહ્મને જ પામે છે. આવી ઘોષણામાં શરત છે ‘જે તત્ત્વથી જાણે છે તે' અર્થાત્ આત્મસ્વરૂપને જાણ્યા વિના જીવનનું અંતિમ લક્ષ્ય સધાય તેમ નથી. તથા પરબ્રહ્મના જ્ઞાનથી જ સંસાર બંધનમાંથી મુક્તિ મળે છે. અને મોક્ષ પ્રાપ્ત થાય છે તેવી સ્પષ્ટતા પણ ભગવાને ગીતાના નવમા અધ્યાયમાં કરી છે. ત્યાં પણ મહત્ત્વની વાત જાણવાની જ છે “યજ્ઞાત્વા મોક્ષ્યસેઽશુમાત્। આત્મજ્ઞાન જાણીને તું અશુમાત્ -દુ:ખરૂપી સંસારથી કે બંધનથી મુક્ત થઈશ.
66
આમ આપણું ‘સ્વ’સ્વરૂપ તો સાક્ષાત્ અપરોક્ષ ‘જ્ઞાન’ છે. બ્રહ્મ તો ‘જ્ઞાન’સ્વરૂપ છે. “સત્ય જ્ઞાન અનન્ત બ્રહ્મ (તૈ.ઉ.) અને તે જ્ઞાન દ્વારા જ જાણી શકાય તેમ છે.