________________
(૩૩૧). સાવધાની સેવવાથી તેની કઠિનતા દૂર થાય છે. સત્ય ભાષણ કરવું તે મહાન તપ છે. તેથી જ કહ્યું છે કે
સત્યેન Oિા વિતતો દેવયાન: સત્ય દ્વારા દેવયાન માર્ગ ખુલ્લો થાય છે. શ્રુતિ સત્યવાદીને બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે, તેવું કહે છે.
સત્યના આચરણ માટે નીચેના મુદ્દાઓ સતત નજર સમક્ષ રહેવા જોઈએ: (૧) નિષ્ઠયોજન ભાષણ ન કરવું, (૨) સંદિગ્ધ કે ન સમજાય તેમ ન બોલવું, (૩) અપેક્ષા વિનાનું કથન, પોતાના જેવું જ્ઞાન બીજામાં ઉત્પન્ન ન કરે તો તે સત્ય નથી, (૪) સત્ય કથન સૌને ઉપકારક હોવું જોઈએ. અને અપકારક તો કદી
ન હોવું જોઈએ. દા.ત. આપણે બૅન્કના કર્મચારી છીએ. બૅન્કનો કેશિયર લાખોની કૅશ લઈ રિઝર્વ બૅન્કમાં જતો હોય અને અચાનક કોઈ ચોર જેવા જણાતા માણસો આવીને પૂછે કે કૅશ લઈને કેશિયર મોટરમાં કયા રસ્તે અને ક્યાં ગયો? આવા પ્રશ્નના ઉત્તરમાં જે આપણે સાચી વાત કહીએ તો સમાજના, લોકોના, પૈસા જ લૂંટાય અને કૅશિયર, ડ્રાઈવર, રક્ષક વગેરેની હિંસા થવાનો પણ સંભવ રહે; ઉપરાંત બેંકના જો આપણે નિષ્ઠાવાન કર્મચારી હોઈએ તો બેંકને વફાદાર ન રહ્યા તેવો ભાવ પણ આપણામાં જાગે; તદ્ઘપરાંત “સર્વભૂતોના હિતરૂપ સત્ય બોલવું જોઈએ તેવો સિદ્ધાંત પણ ન સચવાય. તેથી આપણે ચોરને નિશ્ચિત માર્ગ ન બતાવીએ પણ અન્ય કોઈ માર્ગ પર મોટર અને કેશિયર ગયા છે તેમ ઉત્તર આપીએ તો તે ઉત્તર સત્ય નથી છતાં ‘સર્વભૂતોના હિતમાં જરૂરી છે.” આવો ઉત્તર સત્યાભાસરૂપ
છે, વાસ્તવિક સત્ય નથી, (૫) શ્રોતાને ઉગ થાય એવું વચન બોલવું તે પણ સત્યરૂપ નથી. શ્રોતાને પ્રિય લાગે તેવી રીતે સત્ય બોલવું (૬) ઉચ્ચારેલી વક્તાની વાણી વિપરીત અર્થનો બોધ કરનારી, ભ્રાંતિયુકત, અજ્ઞાનયુક્ત કે અપ્રસિદ્ધ શબ્દોયુક્ત ન હોવી જોઈએ. જે તેવી હોય તો