________________
(૩૪૯)
ક્યાં જવું છે જથારથી ? મેલો મનની વૃથા તથા
પથથી જુદો કહાં પથી ? મન પહેલાં પણ હતા સહી;
મન છે ત્યાં લગ મનો વ્યથી;
મન જ પછી મન રહે નહીં
પહોંચે થાતથી.
પાર
છે કે’તામાં બધે સહી; નથી કથો; તો નથી નથી.
-રાજેન્દ્ર શુકલ
સજાતીય વૃત્તિપ્રવાહ એટલે કેવો વિચારપ્રવાહ ? સજાતીય વૃત્તિપ્રવાહ દ્વારા ચિંતન કરવું અર્થાત્ પળે પળે વિજાતીય વૃત્તિપ્રવાહનો તિરસ્કાર કરતા જવું અને માત્ર આત્માના વિચારની દિશામાં પ્રયત્ન વિના સ્વાભાવિકતાથી વહન કરવું...ઢાળ હોય ત્યાં પાણી ઢળી જાય તેમ ‘સ્વ’ સ્વરૂપની દિશામાં વિચારોને ઢળવા દેવા; જે નીચે મુજબની ચિંતનક્રિયા દ્વારા સમજી શકાશે:
હું સ્થૂળ શરીર નથી.
કારણ સ્થૂળ શરીર જડ છે, હું ચેતન છું.
સ્થૂળ શરીર દૃશ્ય છે; હું અદશ્ય તત્ત્વ છું.
સ્થૂળ શરીર પૂર્વે હું હતો; છું અને રહેવાનો.
તેથી શરીર હું કદી નથી.
શરીર આવ્યું છે, ચાલ્યું જશે...
હું આવ્યો નથી, જઈશ નહીં તેવો અનાદિ, અનંત આત્મા છું.
શરીર વિકારી છે; હું અવિકારી ચૈતન્ય છું.
શરીર કાર્ય છે પંચમહાભૂતનું, હું કાર્યકારણથી પર છું.
સ્થૂળ શરીર નામી, સાકાર તથા ક્રિયાત્મક છે.
હું અનામી, નિરાકાર ને અક્રિય આત્મા છું. સ્થૂળ શરીર દેશ, કાળ અને વસ્તુથી પરિચ્છિન્ન છે.