________________
(૩૪૦)
સૂત્રાર્થ=પવિત્રતા, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાન (એ) નિયમો (છે) ॥૩૨॥ ઉપરના સૂત્ર મુજબ નિયમ પાંચ છે.
હઠપ્રદીપિકામાં નિયમની સંખ્યા દસ ગણાવવામાં આવી છે, જે નીચે મુજબ છે:
अहिंसा सत्यं अस्तेयं ब्रह्मचर्य क्षमाधृतिः ।
दया आर्जवं मिताहार: शौचं च नियमा दशा: ।। १६१ ॥
પ્રથમ આપણે પાતંજલયોગસૂત્ર મુજબ પાંચ નિયમને સમજવા પ્રયત્ન કરીએ. (૧)ૌષ અર્થાત્ શુદ્ધિ અથવા પવિત્રતા એ પ્રથમ નિયમ છે. ગૌત્તશુદ્ધિના બે પ્રકાર છે. (૧)સ્થૂળ શરીરની શુદ્ધિ અને (૨) મનની શુદ્ધિ.
(૧) શરીરની શુદ્ધિના બે પ્રકાર છે: બાહ્ય શુદ્ધિ અને આંતર શુદ્ધિ.
(અ) શરીરની બાહ્ય શુદ્ધિ કરવા માટે સ્નાન કરવું અને તે માટે જળ મૃત્તિકા માટી કે ગોમય વગેરેનો પ્રયોગ કરવો એમ કહેવાયું છે. વર્તમાન યુગમાં માટીને બદલે સાબુ વગેરે વપરાય છે. આમ છતાં પરસેવો, મેલ વગેરે દૂર કરી શરીરશુદ્ધિ કરવી આવશ્યક ગણાઈ છે. હિન્દી ભાષામાં મળત્યાગ માટે સુંદર પ્રયોગ થાય છે. અને મોટા ભાગે રેલવે સ્ટેશન પર બોર્ડ જોવા મળે છે: શોષાલય અર્થાત્ જાજરૂ અને લોકો કહે છે કે “મૈં શૌચ કે લિયે ગયા થા” અર્થાત્ પવિત્ર થવા ગયો હતો. ટૂંકમાં, શરીરની બાહ્ય શુદ્ધિ કરવી તેવો નિયમ છે.
=
શરીરની આંતર શુદ્ધિ : પવિત્ર પદાર્થોના ભોજનથી થાય છે. ગોમૂત્ર અને યાવક = જવના લોટમાંથી બનાવેલ ભોજનનો પ્રયોગ શરીરની આંતર શુદ્ધિ માટે થાય છે. તેવા ભોજનથી શરૂરીની અંદરના ઘટક, રસ, રુધિર આદિ સપ્ત ધાતુની શુદ્ધિ થાય છે, જેને શરીરનું આંતર શૌચ કહે છે. આજ પ્રમાણે શરીરના શૌચ છે શુદ્ધિ માટે નેતિ, ધૌતિ, બસ્તિ નૌલિ, ત્રાટક, કપાલભાતિ, બ્રહ્મદાતણ વગેરેનો ઉલ્લેખ પણ મળે છે.
મનનું શૌય શુદ્ધિ. જેને આંતર શુદ્ધિ કહેવાય છે. મનનો મળ જેવોકે રાગ, દ્વેષ, ઈર્ષ્યા, મદ, માન, અસૂયા વગેરેને ચિત્તના દોષ પણ કહેવાય છે. તે દોષ કે મળને મૈત્રી, ણા અને મુદિતાના અનુષ્ઠાનથી ધોઈ નાખી દોષની નિવૃત્તિ કરવી તેને આંતર શુદ્ધિ કે અત્યંતર પવિત્રતા કહેવાય