________________
(૩૪૩) નિષિદ્ધ પ્રવૃત્તિને રોકવી અને તે સૌને વિહિત કર્મમાં જોડવાં તે જ મુખ્ય તપ છે. માટે આવા મુખ્ય તપનું અનુષ્ઠાન કરવા જ સાધકે આગ્રહ રાખવો ઘટે.
આ તપના સંદર્ભમાં એવી સ્પષ્ટતા પણ કરી છે કે આવા તપ આચરનારે ધ્યાન રાખવું કે મનની પ્રસન્નતાનો ભંગ ન થાય અને શરીરમાં ધાતુઓની અતિ વિષમતા ન થાય. શાસ્ત્રની આજ્ઞા અને વિધાન પ્રમાણે જ તપ કરવું. જો શાસ્ત્રવિધિ મુજબ તપ ન થાય અને શરીરની ધાતુઓમાં અતિવિષમતા થાય તો હાનિકારક નીવડે છે. અને અતિ કઠિન તપ કરવાથી કફાદિ ધાતુના વૈષમ્ય દ્વારા યોગમાં વિનરૂપ રોગ વગેરે ઉત્પન્ન થાય છે અને મનમાં ક્ષોભ થાય છે. તેથી યોગના સાધકે તપ મૃદુ રીતે અને ચિત્તની પ્રસન્નતામાં વિદન ન થાય તેમ કરવાનું છે. જો ચિત્તમાં વિક્ષેપ થાય તેવું તપ હશે તો યોગભ્રષ્ટ થવાશે. તેથી યોગશાસ્ત્રના નિયમોને ધ્યાનમાં રાખી તપ કરવું અનિવાર્ય છે.
આપણે યોગશાસ્ત્રમાં ‘તપ'ની સમજ કેવી છે તેની પર વિચાર કર્યો આ તપના સંદર્ભમાં કૃષ્ણ પરમાત્મા ભગવદ્ગીતામાં કહે છે કે જ્ઞાનરૂપી તપ જ સાચું તપ છે. અને તેવા જ્ઞાનરૂપી તપમાં તપ્ત થઈને પવિત્ર થઈને અનેક મારા સ્વરૂપને પ્રાપ્ત થઈ ચૂક્યા છે.
. વઢવો જ્ઞાનતપના પૂતા મમીવમાતા: ૨૦/૪ જ્ઞાનપી તપ વડે પવિત્ર થયેલાં ઘણાં મારા સ્વરૂપને પામ્યા છે.' (૪) સ્વાધ્યાય એ ચોથો નિયમ ગણાય છે.
સ્વાધ્યાય અર્થાત્ મોક્ષશાસ્ત્રનું અધ્યયન કે મનન, સ્વાધ્યાયનો બીજો અર્થ “સ્વ”નું અધ્યયન પણ થાય છે. તéપરાંત શ્રી સદ્ગુરુ દ્વારા અપાયેલ મંત્રનો જપ અથવા પ્રણવ કે ઇષ્ટમંત્રનો જપ એવો અર્થ પણ થાય છે, આવા સ્વાધ્યાયથી સાધકને ઈશ્વરનો અનુગ્રહ પ્રાપ્ત થાય છે. અને તેના યોગનાં વિદન દૂર થાય છે. માટે જ ગીતામાં ભગવાને પણ જપયજ્ઞને સર્વયજ્ઞોમાં શ્રેષ્ઠ કહ્યો છે, અને કહ્યું છે કે યજ્ઞોમાં જપયજ્ઞ હું છું. “યજ્ઞાનાં નવયરોઇસ્મિા ”
અહીં દશવિલ સ્વાધ્યાય પણ એક ક્રિયા છે. મુખ્યત્વે યોગમાં ક્રિયાનું