________________
(૩૩૦) વિશે જે જ્ઞાન છે, તે જ નહીં પણ તેના જેવું જ્ઞાન આપવા પ્રયોજાયેલું હોય તોપણ કથન સત્યથી વેગળું છે. કારણ કે તેથી જે અસત્ય ઉચ્ચારણ થાય છે તેની નિવૃત્તિ નથી.
આ પ્રસંગે મહાભારતનું ખૂબ જ પ્રચલિત ઉદાહરણ લઈ શકાય. દ્રોણાચાર્યના પુત્રનું નામ અશ્વત્થામા હતું અને એક હાથીનું નામ પણ અશ્વત્થામા હતું. જયારે અશ્વત્થામા હાથીનું મૃત્યુ થયું ત્યારે દ્રોણાચાર્ય સમજ્યા કે પોતાના પુત્રનું મૃત્યુ થયું. તેમણે પોતાના સંશયના નિવારણ માટે અને સત્ય જાણવા માટે યુધિષ્ઠિરને પ્રશ્ન પૂછયો: “હે આયુષ્યમા! અશ્વત્થામા હણાયો?” ત્યારે યુધિષ્ઠિર જાણતા હતા કે અશ્વત્થામા હાથી હણાયો છે. છતાં તેમણે જવાબ આપ્યો: “અશ્વત્થામા હણાયો.” હવે યુધિષ્ઠિરના આ ઉત્તરથી દ્રોણાચાર્યને યુધિષ્ઠિરના જેવું જ્ઞાન થયું નહીં. કારણ કે દ્રોણાચાર્ય પોતાના પુત્રના સંદર્ભમાં પ્રશ્ન પૂછતા હતા જયારે ઉત્તર હાથીના સંદર્ભમાં હતો. આમ દ્રોણાચાર્યને હાથીના મૃત્યુનો બોધ થાય તેવો ઉત્તર ન હતો અને તેમને તેવો બોધ તો ન થયો પણ પોતાના પુત્રનું મૃત્યુ થયું છે તેવું જ્ઞાન થયું.
અહીં યુધિષ્ઠિરનું વાક્ય “અશ્વત્થામા હણાયો” સાચું જ હતું. અશ્વત્થામાં નામના હાથીનું મરણ થયું તે હકીકત છે. છતાં બોલાયેલા વાક્ય કે ઉત્તરનો ઉપયોગ જાણીજોઈને દ્રોણાચાર્યના પુત્રનું મૃત્યુ થયું છે તે સમજાવવા માટે હતો. તેથી યુધિષ્ઠિરનો ઉત્તર અસત્ય ગણાયો અને ગણાય છે. કારણ કે દ્રોણાચાર્યને પોતાના ઉત્તરથી પોતે જે જાણે છે તે ઘટનાનું જ્ઞાન નહીં થઈ શકે તેમ જાણવા છતાં, ઉત્તરમાં પોતાના જ્ઞાન જેવી ભાષા ન વાપરવી કે નિમ્પ્રયોજન બોલવું તે કોઈ પણ પ્રયોજનને સિદ્ધ કરતું નથી. માટે અસત્ય રૂપ જ છે.
આપણે નિષ્ઠાપૂર્વક સત્ય બોલવાનો આગ્રહ રાખવા પ્રયત્ન કરવો જોઈએ. અને તેવા પ્રયત્નમાં અસત્યનો ત્યાગ કરીને સત્ય બોલવું.તે જ સત્ય કહેવાય છે. આમ સર્વ પ્રકારના અસત્યનો ત્યાગ કરી સત્ય આચરવું જોઈએ.
જે સત્ય ન બોલાય તો વાંધો નહીં, પણ અસત્ય તો ન જ બોલવું. “અસત્ય બોલવા કરતાં તો મૌન શ્રેષ્ઠ છે. અને મૌન કરતાં નિર્દોષ સત્ય ભાષાણ શ્રેષ્ઠ છે.” એ કે નિર્દોષ સત ભાયાણ કરવું કઠિન છે. પણ