________________
(૩૨૧) દુભાય તેવું જ હોય તો મૌન રહેવું. પણ “સાચા” ના ભોગે “સારું ન બોલવું વાણીથી સૌને ખુશ રાખવાનો પ્રયત્ન એ આકરી તપશ્ચર્યા છે. એક વસ્તુ વાણીની અહિંસામાં યાદ રાખવી ઘટે કે વાણી “મશાનની હોવી જોઈએ. જો વાણીથી કોઈને પણ ક્લેશ થાય તો તે વાણી દ્વારા થતી હિંસા જ સમજવી ઘટે. કર્મ દ્વારા અહિંસા
આશ્રમવિહિત નિત્યકર્મનો વિરોધ કર્યા વિના; સર્વકાલે; સર્વ અવસ્થામાં; સર્વ દેશમાં સર્વ પ્રાણીને; કાયાથી દુ:ખની ઉત્પત્તિ ન કરવી તે અહિંસા
કોઈ પણ પ્રાણીને આપણે સુખ ન આપી શકીએ તો વાંધો નથી, તળાવ, હવાડા, ચબૂતરો કે ધર્મશાળા ન બાંધી શકાય; શાળા, મંદિરો, મઠો કે અસ્પતાલો ન ખોલી શકાય તો વાંધો નથી. પણ કદી કોઈએ કોઈને દુ:ખ તો ન જ આપવું; કદી કોઈએ અન્યને ભયભીત તો ન જ કરવાં.... કારણ કે કોઈને દુ:ખ પ્રિય નથી; સૌને સુખ પ્રિય છે, તેથી જો એવું જણાય કે આપણા કર્મથી કોઈને દુ:ખ કે ભય પહોંચવાનો છે.. તો તે કર્મનો ત્યાગ કરવામાં કોઈ હાનિ કે આપત્તિ નથી; બલકે અહિંસાનું પાલન છે.
“सर्वाणि भूतानि सुखे रमन्ते सर्वाणि दुःखेषु तथोद्विजन्ति
तेषां भयोत्पादन जातखेदः। कुर्यान्न कर्माणि हि जातवेदः।" સર્વ પ્રાણીને સુખ પ્રિય છે. કોઈને દુ:ખ પ્રિય નથી. તેથી દરેક પ્રાણીને ભયની ઉત્પત્તિ કરવી ખેદકારક છે. એ જાણી યોગીએ બાહ્ય કર્મ ન કરવાં.”
જો અન્યને ભયભીત કરવામાં કે દઈ પહોંચાડવામાં હિંસા હોય તો પછી પ્રાણીનો સંહાર કે માનવીની હત્યામાં તો ઘોર હિંસા જ છે, અમાનુષી કર્તવ્ય જ છે, રાક્ષસી વૃત્તિ જ છે, મહાન પાપ જ છે તેમાં કોઈ શંકા નથી. કોઈની પણ હિંસા કરવાનો કોઈને શાસે પરવાનો આપ્યો નથી; કોઈ પણ કાળે તેમાં છૂટછાટ મૂકી નથી. હિંસાનો દરેક સ્થળે અને દરેક સમયે નિષેધ જ જણાવ્યો છે. અહિંસા પાલનમાં ક્યાંય કોઈ અપવાદ નથી.
માટે જ મને મહાવ્રત કહેવાય છે, જેમાં અહિંસાને પ્રાધાન્ય પ્રાપ્ત