________________
(૩૨૪) પ્રાણાયામાદિક પ્રાયશ્ચિત કરવું. પણ તેવી નિરુપાય હિંસાના ભયથી નિત્યકર્મત્યાગની વાત પણ ન કરવી જોઈએ.
અહિંસાપાલનને નામે મલિનતા વધારવી, સ્નાનાદિ કે શૌચાદિ ક્રિયાઓ છોડવી અને અન્યને પીડા કે સૂગ ઉપજે એમ વર્તવું તે વાસ્તવિક અહિંસાનું પાલન નથી. તેમ જીવવામાં કદી સુખ, આનંદ નહીં જણાય અને પાપની લાગણી ઘર કરી જશે. દહીંમાં બેકટેરિયા દેખાશે આથો આવેલી તમામ ખાવાની ચીજોમાં હત્યા જણાશે; નહીં પડખું ફેરવી શકાય, નહીં ચાલી શકાય, નહીં ખાઈ શકાય. તેથી વાસ્તવિક રીતે અહિંસાનું પાલન કરવું હોય તેમણે દરેકમાં પોતાને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. આત્મભાવ કે આત્મદષ્ટિ વિના, અભેદભાવ વિના અહિંસાનું પૂર્ણપણે પાલન શક્ય જ નથી. આથી આત્મભાવથી અહિંસાનું પાલન કરવું, અને આત્માના અક્તિભાવના, અર્ધાભાવનો ઉદય થવા દેવામાં જ જીવનની પૂર્ણ અહિંસા પ્રાપ્ત થઈ શકે તેમ છે.
આમ અહિંસાનું પાલન કરતાં કરતાં જો પૂર્ણતા હાથમાં આવી જાય તો આપણે અભેદ ભાવમાં, અતિ ખ્યાલમાં એકાકાર થઈ, આદિ-અંતરહિત સનાતન સત્યને પ્રાપ્ત કરી શકીશું. આ છે બળ અહિંસાપાલનનું. તેથી જ તેને આટલી મહત્તા મળી, પ્રધાનતા મળી, અને કહેવાયું અહિંસા પરમો ઘર્ષ: આમ અહિંસા રૂપી ધર્મ તે સાધન છે. સત્યની દિશાનું પરમ પુરુષાર્થનું અંતિમ લક્ષ્યનું કદી ન ભૂલીએ કે હિંસામાં જ બંધન છે, અહિંસામાં મુક્તિ છે. હિંસામાં ગતની જીત છે- પણ પોતાનો પરાજ્ય છે. જ્યારે અહિંસામાં mતની જીત નથી પણ પોતાનો પરાજ્ય પણ નથી. અહિંસામાં તો કોઈની હાર નથી. તે તો જીતની જીત છે, વિજયનો દિગ્વિજય છે.
સુધરેલા સમાજની સ્વચ્છ હિંસા
૨૦મી સદીની અદય હિંસા છે. જાણી સમજીને અન્યને પીડા પહોંચાડવી તે જ હિંસા છે અને હિંસાકાર્યમાં ભાગીદારી કે મૌન સંમતિ એ હિંસા નથી એવી સમજ નરી ભ્રાંતિ અને અજ્ઞાન સિવાય કંઈ જ નથી. આવી ભ્રાંતિને આજના સ્વાર્થી સમાજે જીવનનો સિદ્ધાંત બનાવ્યો. અને અથથ બની ચૂલો સમાજ પોતે સીધી