________________
(૩૨૬) ઈની હિંસા કરતાં નથી. તેઓ તો ઘાસચારો ચરે કે વનસ્પતિ ખાય છે! તો પછી આપણને તેવી શક્તિ વનસ્પતિજન્ય આહારથી કેમ ન મળે? કેટલાક એવી દલીલ કરે છે કે વનસ્પતિમાં પણ જીવ છે તો તેનો આહાર કેમ થાય?- જીવ છે એ વાત સાચી પણ પ્રાણી અને વનસ્પતિમાં એક તફાવત છે કે વનસ્પતિને જ્યારે આપણે કાપવા પ્રયત્ન કરીએ છીએ ત્યારે તે પ્રતિકાર, કોધ કે નાસી જવાનો પ્રયત્ન કરતી નથી, જ્યારે પ્રાણીને મારવા જઈએ ત્યારે દર્દ અનુભવે છે, પ્રતિક્રિયા કરે છે. આથી તેમનો આહાર કરવામાં નિશ્ચિત હિંસા સમાયેલી છે.
આવી જ એક ભ્રાંતિ નિર્જીવ કે વેજિટેરિયન મનાતાં ઈંડાંના આહારમાં રહેલી છે, જે કહેવાતા સુધરેલા લોકોમાં ખૂબ જ પ્રચલિત છે.
આ ઉપરાંત આજની અદશ્ય હિંસામાં ખૂબ જ ચર્ચા પામેલી ખાદ્ય વસ્તુ છે “ચીઝ.” “ચીઝમાંથી અવનવી વાનગી બનાવી તહેવાર સુધારાય છે; પણ તેને મેળવવા માટે નિર્દોષ, નવજાત વાછરડાંનાં જીવન બગાડાય છે! હાલમાં માઈક્રો-બોઈલ રેનેટ નીકળ્યું છે જે વનસ્પતિમાંથી બને છે પણ તે ખૂબ પ્રચલિત નથી જયારે હિંસા દ્વારા બનાવાયેલી ચીઝનો ખૂબ ઉપયોગ થઈ રહ્યો છે. સૌદર્યપ્રસાધનનાં સાધનો માટે થતી હિંસા ખોરાક ઉપરાંત આપણી મોટા ભાગની ફૅશનની સામગ્રી-સૌંદર્યપ્રસાધન પણ આવી સ્વચ્છ ધોળી હિંસાથી રંગાયેલી છે. અલબત્ત તેમાં લોહીનો રંગ અદ૨ય છે. તેમાંથી થોડાંક પ્રસાધનો જેવાં કે શેમ્પ, આફ્ટરશેવ લોશન, સેન્ટ વિશે જોઈએ.
૧. રોજિંદા જીવનના વપરાશમાં લેવાતું શેમ્પતેની યોગ્યતા તપાસવા માટે સાણસામાં જકડી, ચીપિયાથી આંખો ખોલી, શેમ્પનાં ટીપાંની બળતરાથી ચીસાચીસ કરી, અંધ બનતાં અનેક સસલાને ભોગે માનવ ઉપયોગ માટે પ્રમાણિત અને યોગ્ય બનાવાય છે. શેમ્પના વાપરનાર આ હિંસામાં અદશ્ય રીતે ભાગીદાર ખરા કે નહીં?
૨. આફ્ટર શેવ લોશન-ગીનીપીગ જેવાં નાનકડાં પ્રાણીઓની ચામડી છોલી, તે પર આફટર શેવ લોશનનો પ્રયોગ કરી પ્રમાણિત કરાવી બજારમાં