________________
(૩૧૨) ज्ञानं ज्ञेयं ज्ञानगम्यं हृदि सर्वस्य धिष्ठितम्॥१३-१७॥ માટે જ કૃષ્ણ પરમાત્માએ તેને જ્ઞાન ગમ્ય કહ્યું છે અને તે પ્રકાશમય છે, જ્ઞાનમય છે, “હરિ સર્વસ્ય ધિષ્ઠિત સર્વના હૃદયમાં વિશેષરૂપે રહેલો
તેમ છતાં જે અજ્ઞાન હોય તો તેનું માત્ર કારણ -આત્મઅશાન-અને અજ્ઞાનને દૂર કરવા જરૂરી છે માત્ર જ્ઞાન. જ્ઞાન સિવાય કોઈ અજ્ઞાનને હટાવી શકે તેમ નથી અને અજ્ઞાન કે અંધકારના ધ્વંસ વિના જ્ઞાનનું પ્રાગટય થઈ શકે તેમ નથી તેવું તો બાળકોને સમજાવવા જ કહેવાય છે. જ્ઞાન કંઈ આવતું નથી પણ અજ્ઞાન જતાં તેનું ભાન થાય છે. જ્ઞાન કદી અનુપસ્થિત કે ગેરહાજર હોતું જ નથી. તે તો ચૈતન્યસ્વરૂપ છે. સર્વ જ્ઞાનનું જ્ઞાન છે. તમામની અનુપસ્થિતિમાં તે ઉપસ્થિત છે.
અશેય નથી, હોય જ્ઞાનપરો એ, સૌ જ્ઞાનનું જ્ઞાન, જ્ઞાન અજ્ઞાનનું એ”
-નાનાલાલ (ઉપનિષદપંચક) આમ જે તે બ્રહ્મ જ્ઞાનસ્વરૂપ છે તો તેને જાણવા એવો વિચારમાર્ગ અપનાવવો પડે જયાં વિચારક ન બચે, એવું ચિંતન કરવું પડે જયાં ચિંતક ન રહે. અને એવી વિચારણા એટલે જ નિદિધ્યાસન એવી વિચારણા આત્મવસ્તુની હસ્તામલકવતુ પ્રાપ્તિ કરાવી શકે છે. તેથી જ કહ્યું છે કે ‘વિિર્વિવાળ આમ બ્રહ્મવિચાર કહો, બ્રહ્મભાવના કહો કે નિદિધ્યાસન, તેની પ્રક્યિા જ મહત્ત્વની છે. બ્રહ્મવિચારની પ્રક્રિયાને સમજાવતાં આચાર્ય શંકરાચાર્યજીએ વિવેક ચૂડામણિમાં કહ્યું
जातिनीतिकुलगोत्रदूरगं नामरूपगुणदोषवर्जितम्।
देशकालविषयातिवर्ति यद् ब्रह्म तत्त्वमसि भावयात्मनि॥ જે બ્રહ્મ જાતિ, નીતિ, કુળ કે ગોત્રથી રહિત છે; નામ, રૂપ, ગુણદોષરહિત છે; દેશ, કાળ, વિષયથી ભિન્ન છે; તે જ તું છે-આમ તું ચિત્તમાં વિચાર કર. સ્વાભાવિક સહજભાવે કેળવાયેલી અને સતત જાગૃતિમાં થયેલી બહાવિચારણાને નિદિધ્યાસન કહે છે. રખે કોઈ તેને “સંમોહનની તંદ્રામાં અપાયેલ સૂચન માને. (હિપ્નોટિઝમની ટ્રાન્સમાં અપાયેલ સજેશન્સ) અગર
ટૉસજેશન્સ એટલે કે “સ્વયંને અપાયેલાં સ્વયંસૂચન” કહે કે તે સમજે. બ્રહ્મભાવના કે બ્રહ્મવિચાર એ નિરંતર જાગૃતિ છે. તેમાં સુમિ જેવો થોડા સમયનો દરશ્ય-પ્રપંચનો લય નથી કે નથી “સ્વસ્વરૂપનું અજ્ઞાન. સુમિમાં અજ્ઞાનનું જેને શાન છે તે અજ્ઞાત છે. જ્યારે બ્રહ્મવિચાર કે નિદિધ્યાસનમાં