________________
(૩૧૫) જે નદીના પ્રવાહને પૂર્વનિશ્ચિત દિશામાં લઈ જવા પ્રથમ બંધ બાંધવામાં આવે છે અને તત્પશ્ચાતુ કેનાલ દ્વારા પાણી આગળ લઈ જવાય છે તેવી જ રીતે ઈન્દ્રિયો અને ચિત્તરૂપી નદીનો વિષયસમુદ્ર તરફ વહેતો પ્રવાહ રોકવા માટે સૌ પ્રથમ વિવેક દ્વારા જાગેલા વૈરાગ્યનો બંધ બાંધવો જરૂરી છે અને તેવા બંધથી જો વિષયાભિમુખ પ્રવાહ થંભે, તો તે સ્થિર થયેલા ચિત્તપ્રવાહને બ્રહ્મની દિશામાં વાળવા સતત અભ્યાસ કરાવવી પડે છે ને સર્વ કાંઈ બ્રહ્મ જ છે તેવો જ્ઞાનયુક્ત અભ્યાસ જ અહીં યમ શબ્દથી નિર્દેશિત છે. જેમ નદીનો બંધ નહેરોથી જોડાયેલ ન હોય અને માત્ર પાણી રોકાઈ રહેતું હોય તો બંધ બાંધવાનું પ્રયોજન સિદ્ધ થતું નથી. કારણ કે રોલું પાણી ઉપયોગી નથી. તેવી જ રીતે માત્ર વૈરાગ્યરૂપી બંધથી ઇન્દ્રિય અને ચિત્તનો વિષયપ્રવાહ રાક્વો તે તો નિપ્રયોજન સિદ્ધ થાય, -તેમાં ‘સર્વ બ્રહ્મ છે તેવા જ્ઞાનયુક્ત અભ્યાસનો અભાવ હોય તો-તેથી માત્ર વૈરાગ્ય જરૂરી નથી પણ અભ્યાસ અનિવાર્ય બને છે, વિષયોની દોટ થંભાવવા-દોષદર્શનની કળા હસ્તગત થાય તેવો વૈરાગ્ય જ ખપનો છે; અને તેવા વૈરાગ્યથી જ ચિત્તમાં વિષયોની વિમુખતા સર્જાય છે અને યમ રૂપી અભ્યાસ દ્વારા સ્વરૂપમાં, જ્ઞાનમાં-બ્રહ્મમાં-દઢતા આવે છે. માટે જ તેનો નિત્ય અભ્યાસ કરવાનું સૂચન છે, તેવું જ સૂચન ગીતામાં જોવા મળે છે.
“ગગાલેન તુ સૌનેય વેરાયેળ ૨ પૃઢ” (અધ્યાય-૬-૩૫)
ભગવાને કહ્યું છે કે વિષયાસક્ત ચિત્ત કે મનની ચંચળતા ઓછી કરવા અને તેનો નિગ્રહ કરવા અભ્યાસ અને વૈરાગ્ય જરૂરી છે; તે દ્વારા મન વશ થઈ શકે તેમ છે. એક વસ્તુ સુસ્પષ્ટ અને અનુભવગમ્ય છે કે આપણે આજના સમયમાં અભ્યાસ કરતાં હોઈએ તેવું દેખાય છે, કારણ કે હવે વેદાન્ત કે તત્ત્વજ્ઞાન સમજવા ૧૨ વર્ષની તપશ્ચર્યા રહી નથી. લોકોમાં નવી જાગૃતિનું નિર્માણ થયું છે. જાણવાની ઇચ્છા અર્થાત્ જિજ્ઞાસા જાગી છે અને જિજ્ઞાસુઓનું મુમુક્ષુમાં રૂપાન્તર થતું દેખાય છે. શાસ્ત્રો સમજવાની સુવિધા વધી છે. મોટાં શહેરોમાં ક્યા કે પ્રવચનનો જાણે યુગ આવ્યો હોય તેવી હવા ઘુમવા લાગી છે. શ્રોતા-વક્તા વધ્યા છે. સંપ્રદાયો, મઠો, મંદિરો અને મહાત્માઓ દરિયાની ભરતી જેમ આપણા માનસ પર છવાતાં જાય છે. અને છતાં દરિયા જેવી ઓટ જણાતી નથી. યોગશિક્ષણના અને યોગાસનના -વર્ગો, ધ્યાનના સાધનાનાં કેન્દ્રો, કુંડલિની જાગ્રત કરવાની