________________
(૩૧૦) તેમ હું નથી માનતો!
અને તદ્દન અજ્ઞાત છું બ્રહ્મથી તેવું નથી જાણતો! જાણું છું બ્રહ્મને ત્યાં “જાણનાર' નથી જણાતો!
જાણવું” “જાણનાર જણાયેલ જયાં જમીનદોસ્ત થાય, ત્યાં કોણ કોને કોના દ્વારા જાણે? જે “જાણવું જાણનાર જણાયેલ ત્રણેને જાણે છે તે સર્વનો જ્ઞાતા અન્યથી જણાતો નથી. જે જીવ, mત, ઈશ્વરને પોતાનાથી ભિન્ન જાણે છે; અને એ ત્રણેને જાણ્યા પછી તેમાંથી કોઈ બચતું જ નથી, રહે છે ત્રણેનો સાક્ષી ચૈતન્યમાત્ર, તેનો કોઈ સાક્ષી નથી. તે ચૈતન્યસ્વરૂપ હું છું તેમ મને હું જાણું છું. તેથી જ કહું છું કે...તદ્દન નથી જાણતો તેમ નથી. આમ.
નથી હું જાણતો તેમ નથી. આમ છતાં જાણું છું” એ જ છે સમ્યફ જાણવાની સાચી પ્રક્રિયા, જેમાં બ્રહ્મને અપરોક્ષ રીતે જાણવું તે જ બ્રહ્મસ્વરૂપ થવું તેમ સમજાવી શકાય. બાકી તો
“વિજ્ઞાતિ વિનાનાં વિજ્ઞાતિ વિજ્ઞાનતાણું” જે કહે છે કે “હું જાણતો નથી” તે જાણે છે અને જે કહે છે “હું જાણું છું” તે નથી જાણતો. તેથી જે કોઈ કહે કે હું બ્રહ્મને, આત્માને, મારા સ્વરૂપને પ્રત્યક્ષ જાણું છું...તે તો મૂર્ખ જ છે, પણ જે તેને પરોક્ષ જાણે છે તે પણ મહામૂઢ છે. અને તે પોતાને કે બ્રહ્મને કદી જાણી શકશે નહીં કારણ કે બ્રહ્મ કદી પરોક્ષ થઈ શકે જ નહીં, તે પરોક્ષ છે પણ નહીં. જે કહે છે કે હું “મને” અગર “બ્રહ્મને” પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જાણતો નથી તે જ ખરેખર જાણી શકશે.. અને તે જ કંઈ જાણે છે. કારણ કે બ્રહ્માદર્શન સાક્ષાત અપરોક્ષ છે અને તેવા દર્શન માટે જ નિદિધ્યાસન અનિવાર્ય છે કે જયાં હું “મને બીજા દ્વારા નહીં, મારા દ્વારા જ જાણવાનો પ્રયત્ન કરું અને અંતે હું જાણું મને', “મારા” દ્વારા અર્થાતુ ને હું દ્વારા હું જ જાણી શકે. તેથી જ્ઞાતા પણ હું અને ‘શેય” પણ હું અને જ્ઞાનસ્વરૂપ પણ હું. આ જાણવામાં જ “સ્વસ્વરૂપનો અપરોક્ષ અનુભવ છે. જે વાચાતીત છે. તેથી
“જાણું છું કહે એ નથી જાણતો જ ન જણું કહે છે કે જાણનારો; ગૂઢનું ગૂઢ છે; અગમ્ય ગમનું ગમે-અગમે છે તમારો બ્રહ્મમાગ”
-નાનાલાલ (ઉપનિષદપંચક)