________________
(૩૦૮). પ્રાપ્ત કરવાની વાત અથવા લેવાની વાત આવે ત્યાં પણ જાણવાની જ વાત છે. કારણ કે “આત્મા પરમાત્મા’ કે ‘પરબ્રહ્મ” આપણાથી દૂર નથી. કવિ ધીરાના શબ્દોમાં “શાં શાં દોડી સાધન સાધે પોતે પોતાની પાસ.” અને પરબ્રહ્મ કે તેનું પરમ ધામ બન્ને એક જ છે. જો આત્મા આપણી અંદર છે તો તેનું પરમ ધામ પણ અંદર જ છે. તેથી ક્યાંય જવાનો પ્રશ્ન જ નથી, ક્યાંયથી પાછા આવવાની પણ વાત નથી. છે તો “જાણવાનો જ નિર્દેશ; પણ સ્મૃતિની, શ્રુતિની આવી પરંપરાગત પ્રતીકાત્મક શૈલીમાં થયેલી વાતના સંકેતો ન પકડાય તો અનર્થ જરૂર ઊભો થાય. જેમ કે ગીતામાં કહ્યું “મિન 'તિ ન વિતતિ પૂ” “જેમાં ગયેલો ફરીથી પાછો આવતો નથી” તેથી કોઈ સમજે કે આત્મા દૂર હશે અને ત્યાં જવાનું હશે પણ વાસ્તવિકતામાં એમ કહ્યું કે આત્માને અજર, અમર, જાણીને પોતે પણ આત્મરૂપ બની ગયો છે તેને સંસારમાં ફરી આવવાનું રહેતું નથી. તે જ પ્રમાણે “યત્વ ન નિવર્તતે તદ્દા પર મ” “જે પરમ પદને પામેલો કે પરમ પદમાં ગયેલો પુરુષ પાછો સંસારમાં આવતો
નથી.”
આમ જોતાં સ્પષ્ટ થાય છે કે પ્રશ્ન છે “જાણવાનો, પ્રાપ્ત કરવાનો, જવાનો, મેળવવાનો નહીં. ચર્મચક્ષુથી આત્માનાં દર્શન વગેરેનો તો માત્ર આભાસ, ભ્રમણા કે ભ્રાંતિ જ છે. કારણ કે આત્મજ્ઞાન કે બ્રહ્મદર્શનમાં ઈન્દ્રિયો, મન, બુદ્ધિ, વિઘ્નકર બને છે. જ્યારે જ્જતના જ્ઞાનમાં તેઓ ઉપયોગી છે. ઈન્દ્રિયો દ્વારા તો, આંખ દ્વારા તો રૂપનાં દર્શન થાય, સ્વરૂપનાં કદી નહીં ‘સ્વીસ્વરૂપ સાથે સાક્ષાત્કાર કરવામાં; પરબ્રહ્મની અપરોક્ષ અનુભૂતિ કરવામાં, ઈન્દ્રિય, મન, બુદ્ધિ, તર્ક સૌ બાધક છે. એટલું જ નહીં પણ...
બ્રહ્મદર્શન સાધન નિરપેક્ષ જ શક્ય છે માટે જ નિદિધ્યાસનની મહત્તા છે. નિદિધ્યાસનમાં ધ્યાન, ધ્યાતા, બેયની ત્રિપુટી તો નથી જ પણ સાધન, સાધ્ય અને સાધકનો લય છે. સિદ્ધિ નામશેષ છે. કારણ કે બ્રહ્મ કે આત્માને મારે મારાથી ભિન્ન હોય તેમ, દૂર હોય તેમ, “વિષય” કે “વસુ' તરીકે તો જાણવાનો જ નથી. આત્મા સાધ્ય હોય અને તે સિદ્ધ કરવાનો છે તેવું પણ નથી. કારણ કે જે સિદ્ધ થાય કે જે સાધ્ય હોય, તે અનિત્ય છે.
'यत् साध्यम् तत् अनित्यम् इति" તેથી આત્મા “સાધ્ય હોય તો અનિત્ય થઈ જાય અને તે આંખે