________________
(૩૦૭)
પથ્થર મારશો તો પ્રતિબિંબ ફૂટી જશે અને બિંબ સાબૂત રહેશે. તેથી જ સ્પષ્ટ થાય છે કે જે અરીસામાં છે તે આંખ નથી. અને જે આંખ છે તે અરીસામાં નથી. જેનાથી બધું જ દેખાય છે તે આંખ જેમ અદૃશ્ય છે તેવી જ રીતે પ્રકાશ દ્વારા બધું પ્રશિત છે. આંખ હોય પણ રાત્રે પ્રકાશ ન હોય તો વસ્તુઓ અસ્તિત્વમાં હોય છે...છતાં જણાતી નથી અને પ્રકાશ આવતાં તે સર્વ વસ્તુઓ મોજૂદ હતી અને છે તેવું ભાન થયા વગર રહેતું નથી. આમ છતાં અદૃશ્ય હોય તે પ્રકાશથી દૃશ્ય થાય છે, તે પ્રકાશ પોતે દેખાતો નથી. પણ તેનાથી અનેક વસ્તુ, વ્યક્તિ, પદાર્થ દેખાય છે તે જ બતાવે છે કે પ્રકાશ છે. આમ ‘પ્રકાશ’ અનેકને બતાવીને પણ પોતે દેખાતો નથી. પ્રકાશ જેને પ્રકાશિત કરે છે તેને નામ, આકાર, રૂપ, રંગ છે...તેથી જ તે બધા દેખાય છે. પણ ‘પ્રકાશ’ સ્વયં આંખથી પકડાતો નથી, કારણ તે આંખની મર્યાદા છે. આમ જો માનવીની આંખ પ્રકાશને ન જોઈ શકે, દષ્ટિથી મનને ન પકડી શકે, આંખ હોવા છતાં ગુરુત્વાકર્ષણનું બળ કે વિદ્યુત ન જોઈ શકે કે પવનનો આકાર આંખ ન કહી શકે તો એ આંખ આત્માની ઓળખાણ ક્યાંથી અને કેવી રીતે કરાવી શકે?
“કોને કહું ને કોણ સાંભળશે અગમ ખેલ અપાર, અગમ કેરી ગમ નહીં રે વાણી ન પહોંચે વિસ્તાર
એક દેશ એવો રે, બુદ્ધિ થાકી રહે તહીં”
-ધીરો
પરમાત્માની ઓળખાણ જે આંખ દ્વારા જ થતી હોત તો સંત શિરોમણી કવિ સુરદાસને કઈ રીતે થઈ? આત્મદર્શન જો આંખનો જ વિષય હોય તો આંખે ઓછું દેખાતાને; મોતિયાવાળાને કે દૃષ્ટિદોષયુક્તને પરમાત્મા પણ જુદો જુદો જ દોષસભર દેખાય! પણ સારું છે કે આત્મદર્શન એ દૃષ્ટિનો વિષય જ નથી. “દર્શન”એટલે “જોવું” નહીં પણ “જાણવું”, અને તે પણ જ્ઞાનચક્ષુ દ્વારા. તેથી ગીતામાં કહ્યું “વિમૂઢા નાનુવન્તિ પન્તિ જ્ઞાનચક્ષુલ:” આ જ્ઞાનચક્ષુ તે જ શુદ્ધ મન કે સૂક્ષ્મ બુદ્ધિ અને તેથી જ શ્રુતિએ ઘોષણા કરી કે “મનસા વ્ હું આપ્તવ્યું” શુદ્ધ મનથી જ એ આત્મતત્ત્વ પ્રાપ્ત કરવા કે જાણવા યોગ્ય છે, અગર સૂક્ષ્મ બુદ્ધિથી પણ જાણી શકાય તેમ છે. “સૂક્ષ્મયા સૂક્ષ્મશિમિ: આમ જ્યાં આત્મતત્ત્વને