________________
(૩૦૫) તેમણે કરેલા અર્થો મુક્ત છે અને સાથે સાથે રૂઢિચુસ્ત નથી. તેમને તો જીવનના અંતિમ લક્ષ્યના સંદર્ભમાં દરેક નામનું તાત્પર્ય શું છે તેમાં જ રસ છે. મોક્ષમાર્ગના પથિકને કે બંધનમાંથી છૂટવા તરફડિયાં મારતા દરેક સાધકને કઈ રીતે મદદગાર થઈ શકાય, માર્ગદર્શન આપી શકાય, ખોટે રસ્તે જતો અટકાવી શકાય તે જ હેતુને ધ્યાનમાં રાખીને તેમણે નિદિધ્યાસનનાં વિવિધ અંગોની વ્યાખ્યા આપી છે. આપણે ત્યાં શબ્દોના અર્થો શોધવાને બદલે તેના અનર્થોનો વધુ ઉપયોગ થાય છે. દા.ત. “વિવેક શબ્દ આત્મા-અનાત્માનો ભેદ પારખવા વપરાય છે પણ આજે તો કોઈના ઘેર મહેમાન થઈએ. અને જે સામેની વ્યક્તિ ચા-નાસ્તો ન કરાવે એ તો ઠીક પણ જે પાણીનો ભાવ પૂછે પણ નહીં તો તે વિહીન કહેવાય. અને ચા પિવડાવવાની ઈચ્છા ન હોય છતાં પૂછે તે વિવેકી ગણાય. તેવું જ છે ‘મિથ્યા’ શબ્દનું-જે શબ્દ, સમગ દશ્યપ્રપંચ અનુભવાય છતાં સત્ નથી તેવું સમજાવવા વપરાય છે તે આજે જ્યાં નુકસાન થાય તે મિથ્યા; લાભ થાય તે સત્ તે અર્થમાં વપરાય છે. અને મિથ્યા શબ્દ રસોડામાં, બાથરૂમમાં શાકમાર્કેટમાં સૌ સ્થળે વપરાતો થઈ ગયો. તેથી ‘મિઆ' શબ્દનું ગાંભીર્ય પણ ‘મિથ્યા' જેવું જ થઈ ગયું છે. તેવું જ કંઈક આદિ શંકરાચાર્યજીના સમયમાં ચમ:,નિયમ:,ત્યા:દેશ, માન,માસનમું વગેરે નામ કે શબ્દો માટે થયેલું. દરેક સંપ્રદાયે તેના અર્થો ખોઈ અનર્થો સર્જયા તેથી સદેહના વંટોળ ઊમટયા અને સાચા અર્થો ખોવાઈ ગયા. ચિંતન-મનનરૂપી સ્વરૂપની સાચી સાધના અર્થ-અનર્થનાં વમળોમાં ભમવા લાગી. તેમાંથી આત્મવિચારણાને માર્ગે વળેલા લોકાને ઉગારવા માટે પ્રાચીન નામોની અહીં અર્વાચીન વ્યાખ્યા આપવાની આચાર્યશ્રીએ કૃપા કરી છે. આપણે જે “શબ્દો’ના-નામના સાચા અર્થો ગ્રહણ કરવા અને તે મુજબ સાધના કરવા તત્પર નહીં થઈએ તો કદાચ અર્થો, અનર્થોના અરણ્યમાંથી અને શબ્દની જંજાળમાંથી બ્રહ્મનો રસ્તો શોધી નહીં શકીએ
“અર્થના દુર્વ્યય થકી યા વ્યર્થ શંકાઓ વડે સત્યના ભેદો સહજમાં કોઈ દી'ના સાંપડે જીવ મારી સાધના કર એકધારી તો જ છે;
શબ્દની જંજાળમાંથી બ્રહ્મનો રસ્તો જડે” ચાલો આપણે સાચા અર્થને ગ્રહણ કરવા, નિદિધ્યાસનનાં પંદર અંગો જાણવાનો પ્રયત્ન કરીએ!