________________
(૩૦૩). કામ નહીં આવે. તેથી જ અહીં જણાવ્યું છે કે “નિત્યાગાદિને ર મત સર્વાલામઃ” નિત્ય અભ્યાસ કર્યા વિના સત્ ચિત્ સ્વરૂપ પરમાત્માની પ્રાપ્તિ થતી નથી. જન્મોજન્મનાં, યુગોનાં બંધનો તોડવાં અને પરમાત્મા સાથે અજ્ઞાનને કારણે થયેલો વિયોગ જોડવા સતત, નિરંતર, લાંબા સમય સુધી જિજ્ઞાસુએ નિદિધ્યાસન કરવું તેમ કહયું છે. “નિસાસુ શ્રેય હું વિમ્ નિવિધ્યાત” તે ઉપર વિચાર કરીએ.
નિદિધ્યાસન એટલે શું? ધ્યાનનો પ્રયત્ન તે નિદિધ્યાસન કહેવાય છે. મોટા ભોગે લોકો નિદિધ્યાસનને ધ્યાન, સમજે છે. ધ્યાનમાં તો ભેદ છે. વૈત છે. ધ્યાન, ધ્યાતા અને બેય કે ઉપાસક, ઉપાસના અને ઉપાસ્ય દેવ; સાધક, સાધના અને સાધ્ય-એમ ત્રિપુટી છે. જ્યારે એક અદ્વૈત બ્રહ્મની અનુભૂતિમાં અન્યની શક્યતા જ નથી. તેથી જો બ્રહ્મનું કોઈ ધ્યાન કરે તો બેય વસ્તુ બ્રહ્મ એક, ધ્યાતા બીજો અને ધ્યાનની પ્રક્રિયા ત્રીજી એમ ત્રણ વસ્તુ થઇ. તેથી એક, અખંડ અદ્વૈતનું ધ્યાન ન થઈ શકે. પણ તેનું તો “સ્વ” સ્વરૂપે જ્ઞાન થઈ શકે. અદ્વિતીય ભાવમાં સ્થિર થયા પછી તો ત્યાં પૂજા પણ શક્ય નથી “સ્થિતે-દ્વિતીયમામિન થ પૂના વિવિયતે' તો પછી ધ્યાનનો તો પ્રશ્ન જ નથી-જયાં સર્વ એક-અભિન્ન થઇ ગયું છે ત્યાં કોણ કોનું કેવી રીતે ધ્યાન કરે? વિવિધ્યતન નિવિધ્યાસન અહીં નિ:=એ ઉપસર્ગ છે, અને વિધ્યાસનનો અર્થ ધ્યાનની ઈચ્છા એવો થાય છે. તેથી ધ્યાનની ઇચ્છાથી થયેલો એવો પ્રયત્ન તે નિદિધ્યાસન છે. પણ નિદિધ્યાસન તે ધ્યાન નથી. બ્રહ્મ કે આત્મા ધ્યાનનો અવિષય છે. વિષય તરીકે આત્માને જાણવો તે નહીં જાણવા જેવું જ છે. આત્મા ન તો દષ્ટિનો મનનો કે તર્કબુદ્ધિનો વિષય બની શકે તેમ છે. તેથી જેવી રીતે મોક્ષની ઇચ્છાને મુમુક્ષા કહેવાય છે, જાણવાની ઈચ્છાને જિજ્ઞાસા કહેવાય છે; જીવવાની ઇચ્છાને જિજીવિષા કહેવાય છે તે રીતે ધ્યાનની ઈચ્છાને વિધ્યાસન કહેવાય છે. નિ ઉપસર્ગ આગળ મૂકવાથી વિવિધ્યાસન શબ્દ બને છે. અને એ શબ્દથી બ્રહ્મચિંતનનો પ્રયત્ન અવો અર્થ થાય છે.