________________
(૩૦૧)
જ દર્શનીય છે. “विमूढानानुपश्यन्ति पश्यन्ति ज्ञानचक्षुषः"। અને જ્ઞાનચક્ષુ દ્વારા જેવું - તે જ જાણવું છે. એટલે દર્શનીય અર્થાત્ આત્મા પોતાથી જુદો નથી તેમ જાણવા યોગ્ય છે. સાક્ષાત્કાર
કરવા યોગ્ય છે. શ્રોતવ્ય: અથતું શ્રવાણીય છે. આત્મા શ્રોત્રિય બ્રાહ્મનિષ્ઠ ગુરુ દ્વારા શ્રવણ
કરવા યોગ્ય છે. શબ્દપ્રમાણ છે તેથી જ શ્રવણ દ્વારા અભેદ
અદ્વિતનું જ્ઞાન શક્ય છે. મંતવ્ય. અર્થાત્ આત્મા મનનીય છે. મનન, ચિંતન દ્વારા આત્મા “સ્વ
સ્વરૂપ છે તેમ જાણી શકાય તેમ છે. નિવિધ્યાતિવ્ય. અર્થાત્ આત્મા વિશે ધ્યાનનો પ્રયત્ન થઈ શકે તેમ છે.
“સ્વ”સ્વરૂપને કે આત્માને જાણવા ધ્યાન, ધ્યાતા, ધ્યેય એક
થઈ જાય તેવું ચિંતન શક્ય છે. આમ, નિદિધ્યાસન એક મહત્વનું સાધન છે તે વાત કૃતિમાં છે અને તેવી જ કૃતિસંમત વાતને શંકરાચાર્યજી પણ જ્ઞાનનું અંતિમ અને શ્રેષ્ઠ સાધન માને છે. માટે જ આ શ્લોકમાં તેમણે કહ્યું છે કે “નિવિધ્યાસન ઇવ સલiી - સદા નિદિધ્યાસન કરવું જરૂરી છે.” આમ જોતાં સમજાય છે કે જ્ઞાનપ્રાપ્તિનાં શ્રુતિસંમત સાધનોમાં મુખ્ય ત્રણ છે: (૧) શ્રવણ (૨) મનન (૩) નિદિધ્યાસન. આ ત્રણેમાં સાધન-શ્રેષ્ઠત્વની દષ્ટિએ નિદિધ્યાસન શ્રેષ્ઠ, ઉત્તમોત્તમ સાધન છે એવું શંકરાચાર્યજી “વિવેચૂડામણિ”માં દશવ
“કૃતેઃ રાતા વિદ્યાર્નનનું મનનારા निदिध्यासं लक्षगुणमनन्तं निर्विकल्पकम् ॥ ३६५ ॥ “શ્રવણ કરતાં મનન સો ગણું ઉત્તમ છે. મનન કરતાં નિદિધ્યાસન લાખ ગણું ઉત્તમ છે.”
આમ નિદિધ્યાસન સર્વશ્રેષ્ઠ સાધન છે. માટે જ તે નિદિધ્યાસન કરવાનું સૂચન અહીં પણ છે. એક વસ્તુ સદા યાદ રાખવી ઘટે કે ગમે તેટલાં પુસ્તકો વાંચો, કથાઓ સાંભળો, સંસ્કૃત ભાષાના ગમે તેટલા વિદ્વાન બનો, વ્યાકરણના આચાર્ય બનો, અથવા શાસો કંઠસ્થ કરો. પણ જ્યાં સુધી