________________
(૨૯૯)
અને જ્ઞાનની વાત કરી છે ત્યારે જ્ઞાન અને મોક્ષ બન્ને છે. શ્રુતિ ખોટી નથી. કારણ કે કર્તા અને કર્મનો નાશ છે. કર્મનો નાશ છે તેથી જ કહ્યું છે કે ન પુછ્યું ને પાપં ન સૌહ્યં ન વુ:વું" કર્મ નથી તેથી જ હું પુણ્ય કે પાપ નથી; ભોગ નથી તેથી હું સુખ કે દુઃખ નથી. આમ કર્મ નથી તે જ સૂચવે છે કે હું કર્તા નથી.
આમ વિચારતાં પ્રારબ્ધનો કદી સ્વીકાંર થઈ શકે નહીં. અને અનંત ઋષિમુનિઓની અપરોક્ષ અનુભૂતિ જેવી શ્રુતિઓનો ઈન્કાર પણ થઈ શકે તેમ નથી.
નિદિધ્યાસન: જ્ઞાનપ્રાપ્તિનું સાધન
त्रिपञ्चाङ्गान्यथो वक्ष्ये पूर्वोक्तस्य हि लब्धये । તૈશ્વ સર્વે: સવા બાર્ય નિવિધ્યાસનમેવ તુ।। ૧૦૦ ॥
પૂર્વોક્તસ્ય હિ તબ્વયે = પૂર્વે પ્રથમ કહેલા આત્મસ્વરૂપની પ્રાપ્તિ અર્થે ત્રિપશ્ચાાનિ અથ: વક્ષ્ય = પંદર અંગો કહું છું ૩ = માટે
તૈ: સવૈ: = તે સર્વ (અંગો) થી
=
નિવિધ્યાસનમ્ વ્ સવા વ્હાર્યમ્ - સદા નિદિધ્યાસન કરવું જરૂરી છે. नित्याभ्यासादृते प्राप्तिः- न भवेत् सच्चिदात्मनः ।
तस्माद् ब्रह्म निदिध्यासेत् जिज्ञासुः श्रेयसे चिरम् ॥ १०१ ॥
નિત્યાભ્યાસાત્ તે = નિત્ય અભ્યાસ કર્યા વિના સન્નિવાત્મનઃ પ્રાપ્તિ: ન મવેત્ તસ્માત્ = જે સત્ ચિત્ સ્વરૂપ આત્મા છે તેની પ્રાપ્તિ નથી, તેથી.
=
जिज्ञासुः श्रेयसे ब्रह्म चिरम् निदिध्यासेत् જિજ્ઞાસુ કે મુમુક્ષુએ પોતાના શ્રેય માટે લાંબા સમય સુધી નિદિધ્યાસન કરવું જોઈએ. અત્યાર સુધી જ્ઞાનની ચર્ચા-વિચારણા કરી કે જ્ઞાનથી અજ્ઞાન દૂર થાય. અને તે દૂર થતાં, ન રહે પ્રારબ્ધ, ન બચે કોઈ કર્મ, અને આવા અપરોક્ષ જ્ઞાનથી જ મુક્તિ મળે છે. આવી વિચારણા અત્યાર સુધીના શ્લોકો દ્વારા થઈ. આત્મજ્ઞાન શું છે તે સમજાયું... પણ તે જ્ઞાનની પ્રાપ્તિ કેવી રીતે થાય છે તે સમજવા હવે જ્ઞાનપ્રાપ્તિના સાધનોની ચર્ચા આવે છે.