________________
(૨૯૮) અને પ્રારબ્ધ મુજબ દરેકને વહેલો કે મોડો મોક્ષ મળશે જ. જયારે વાત તો સ્પષ્ટ છે કે જો તે ન મુક્તિઃ' જ્ઞાન વિના મુક્તિ નથી અને “જ્ઞાનનું મુક્તિઃ' જ્ઞાનથી જ મુક્તિ થાય છે. હવે પ્રારબ્ધના સ્વીકારમાં જ્ઞાનનો ઈન્કાર છે. અને જો જ્ઞાન જ જરૂરી નથી તો તો મોક્ષ પણ જરૂરી નથી. કારણ જ્ઞાન સિદ્ધ ન થાય તો મોક્ષ પણ સિદ્ધ થતો નથી. જ્યારે વેદાન્ત મુજબ મોક્ષ છે. આમ મોક્ષ અસિદ્ધ થાય છે, તે જ વેદાના મતનું ખંડન છે.
આવી વાતો તો પડદા ઉપરનાં ચિત્રો જેવી છે. પડદા ઉપરનાં ચિત્રો દાવો કરે કે “પડદો સાવ ખોટો છે. જો જે છેતરાતા પડદાથી.” પણ પ્રેક્ષકો જાણે છે કે પડદાને ખોટો કહેનારાં ચિત્રો પોતે કેવાં છે.
અનેક ચિત્રો આવીને ચાલ્યાં ગયાં. ત્રણ ક્લાકમાં તો તેમની હસ્તી પણ ભૂંસાઈ ગઈ.. અરે.. પાવર ફેલ થતાંની સાથે જ બોલતાં બંધ થયાં; છતાં પડદો તો હતો ત્યાંની ત્યાં. ચિત્રો આવે ને જાય; પડદો નહીં! ચિત્રો ફલ જાય! પડદો નહીં. જેમ પડદો અધિષ્ઠાન છે, તેમ આત્મા અધિષ્ઠાન છે. અને આત્મા જ્ઞાનસ્વરૂપ છે તેથી જ્ઞાન અસિદ્ધ થાય તેમ નથી. અને આરોપની વાતોથી પ્રારબ્ધ સ્વીકારાય તેમ પણ નથી. (૨) બીજે દોષ છે કે જે શ્રુતિથી જ્ઞાન થાય છે તે કૃતિઓ પણ ખોટી ઠરે “યત: જ્ઞાનં તિ શ્રુતિઃ”
મુંડક-શ્રુતિમાં સ્પષ્ટ છે કે જે કોઈ તે પરબ્રહ્મને જાણે છે તે પરબ્રહ્મ જ થઈ જાય છે.”
“ ય ર રે તમં વહાવે દ્રવ મતિ” અને તે પણ સ્પષ્ટ છે કે તે ઉપરાવરના જ્ઞાનથી તમામ કર્મો નષ્ટ થાય છે. “ક્ષીયો વાય તસ્મિન છે પાર કર્યો નષ્ટ થાય છે કારણ કે આત્માના જ્ઞાનથી કર્તા નષ્ટ થાય છે. જે આપણે આત્માને જ કર્તા માનીએ તો તો તેનો મોક્ષ જ નથી. કારણ કે કર્તા હોય તો કર્મ હોય; કર્મને ફળ હોય; ફળ ભોગવવા કોઈ શરીર હોય; એક શરીરથી ફળ ન ભોગવાય તે બીજું લેવું પડે; તેથી પુનઃ જન્મ થાય; બીજા જન્મ ફળ ભોગવવા માટે પાછું કર્મ કરવું પડે, તેનું પુન: ફળ જાગે... આમ જન્મ=મૃત્યુના કે કર્મ-ફળના ચકથી કોઈ છૂટી શકે જ નહીં, અને કોઈ કદી મુક્ત જ થઈ શકે જ નહીં પણ જ્યારે શ્રુતિએ મુક્તિની