________________
(૨૯૬) આત્મા છે. જે આકાશ ન બંધાય તો આત્મા કેવી રીતે બંધાય? છતાં સર્વ સામાન્ય અનુભવ છે કે અમે કર્મથી બદ્ધ છીએ. જેને આવો અનુભવ છે બંધનનો તેઓ જ છૂટી શકે છે. જેવી રીતે સ્વપ્નમાં તમને કોઈ ચોર બાંધે.. તો છૂટવા તમારે કોની મદદ લેવી પડે? કેટલાં ક્લાક સુધી ક્યા પ્રયત્નો કરવા પડે? અરે! કંઈ કર્યા વિના, કોઈની મદદ વિના માત્ર સ્વપ્નમાંથી જાગી જવાથી જ સ્વપ્નના ચોરે બાંધેલું બંધન છૂટી જાય છે. હવે વિચારો, જાગવા માટે શું કરવું પડે? કંઈ જ નહીં તે માત્ર જાગીને જાણવાનું કે આ સ્વપ્ન નથી. તેવી જ રીતે અજ્ઞાનની નિદ્રામાંથી જાગીને જોઈશું તો કર્તા, કર્મ, કામ, અવિદ્યા કે સંશય કંઈ જ બચશે નહીં. અને જે કર્મ જ નહીં રહે તો પ્રારબ્ધ કેવી રીતે હશે? માટે જ કહ્યું છે.
“ક્ષીય વાસ્થ સ્મfજ” અહીં “મfજ એવું બહુવચન વપરાયું છે તેનો અર્થ તમામ કર્મ થાય. જેમાં સંચિત, આગામી અને પ્રારબ્ધ ત્રણે કર્મોનો સમાવેશ થઈ જાય છે. જ્ઞાનાગ્નિમાં બે કર્મો ભસ્મ થાય. અને પ્રારબ્ધ બચે તેમ થઈ શકે નહીં. અને તેથી જ અહીં બહુવચનનો પ્રયોગ છે. સ્વામી વિદ્યારણ્ય પણ તેવું જ પોતાની દીપિકા-વ્યાખ્યામાં જણાવે છે. “ તિ વહુર્વ યતપુર નીતિં તત્તત્રિધાર્થ પ્રવ્યામાવતિષવિના” તાત્પર્ય એ જ છે કે પ્રારબ્ધ કર્મ પણ જ્ઞાનથી નષ્ટ થાય છે તેવું દર્શાવવા માટે જ અહીં શ્રુતિએ બહુવચનનો પ્રયોગ કર્યો છે.
જ્ઞાનપ્રાપ્તિમાં જે કર્તા જ નથી તો કર્મ કેવું? જે કર્મ નથી તો પુણ્ય કે પાપ કેવું? તેમ જ કર્મ જ નથી તો તેનું ફળ કે ભોગ કેવાં? જે ફળભોગ નથી તો પ્રારબ્ધ ક્યાં? જો ભોગ નથી તો સુખ અને દુ:ખ પણ નથી. માટે જ કહ્યું છે કે જ્ઞાનમાં નથી કર્તા, નથી ભોક્તા; માટે નથી કંઈ પાપ કે પુણ્ય ને નથી સુખ અને દુઃખ; તેથી જ નથી સ્વર્ગ કે નક, નથી સદ્ગતિ કે અવગતિ... ત્યાં તો છે માત્ર એક અલા, સ્વસ્વરૂપ, પરબ્રહ્મ.
મગનલાલે પ્રથમ વારનાં લગ્ન ૧૯૬૦માં ક્યાં બીજી વાર ૧૯૭૫માં તેઓ પરણ્યા અને ત્રીજી વારનાં લગ્ન ૧૯૮૦માં થયાં અને અચાનક તેઓ હાલથી ૧૯૮૩માં ગુજરી ગયા તો સૌથી પ્રથમ વિધવા કોણ થયું...અને સૌથી છેલ્લું કોણ વિધવા થયું? અરે! ત્રણે ત્રણ એકસાથે જ વિધવા થાય, આગળપાછળ ન થાય અને કોઈ અવિધવા રહી શકે પણ નહીં.