________________
(૨૫)
હૃદયગંથિ એટલે શું? અવિદ્યા + કામ + કર્મ મળીને હૃદયગ્રંથિ થાય છે. જેમ દોરીની ગાંઠમાં બે છેડા અને વચ્ચે ગાંઠ છે તેવું જ અહીં પણ છે. અવિદ્યા વચ્ચે છે અને કામ અને કર્મ આજુબાજુ છે. ગ્રંથિ છૂટે છે, ખૂલે છે. કે ભૂદાઇ જાય છે અર્થાત્ ગ્રંથિની ભ્રાંતિ દૂર થાય છે. ખરેખર ત્યાં અધ્યાસ છે, ગ્રંથિ કે ગાંઠ જેવું નથી છતાં ભાસે છે. જેમ ૨૬ મી જાન્યુઆરી કે ૧૫ મી ઓગષ્ટ ધ્વજવંદન વખતે, ધ્વજને ઉપર લઈ જતાં પહેલા ગાંઠ મારેલી હોય છે. અને જ્યારે દોરીથી ધ્વજ ઉપર ચડાવવામાં આવે છે; પછી બીજી દોરી ખેંચતાં જ ગાંઠ ખૂલી જાય છે. અને ધ્વજ ફરકે છે. જે આ ગાંઠ સાચી જ હોય તો ખૂલે જ નહીં પણ તે ખોટી હોય છે, તેથી ખોટી ખોટી ખૂલી જાય છે. અને ખોટી છતાં સાચી ભાસે છે. આ ગાંઠને સ્લિપ નોટ કે સરકતી ગાંઠ કહે છે. તેવી જ રીતે હૃદયગ્રંથિ પણ ખોટી ખોટી ગાંઠ જેવી જ છે. અને અવિઘાથી તે સાચા જેવી લાગે છે. જ્ઞાન થતાં જ અવિદ્યા રહેતી નથી અને તેથી અવિદ્યાના આધારે ટકેલાં કામ અને કર્મ પણ રહેતાં નથી. જ્ઞાન થાય કે “હું અકર્મ અકર્તા છું” પછી કર્મ કેવું? અને જ્ઞાનથી સમજાય કે “હું પૂર્ણ છું” પછી કોઈ પણ વસ્તુ માટે કામના કેવી? આમ આખી ગ્રંથિ જ જ્ઞાનમાં છેદાઈ જાય છે. તેથી જ “હું કર્તા છું” કે “ભોક્તા છું' હું કર્મથી બદ્ધ છું કે મુકત છું!” “પુણ્ય-પાપ કે પ્રારબ્ધ કર્મનો નાશ છે કે તે ભોગવવાં જ પડે.” આવા અનેક સંદેહ જ્ઞાનથી છેદાઈ જાય છે.
ક્ષીયૉ ગાર્ચ મણિ' કૃતિમાં જે સ્પષ્ટ કહ્યું કે જ્ઞાનથી સર્વ કર્મોનો નાશ થાય છે. તે એટલા માટે જ કહયું છે કે કર્મો નષ્ટ થાય પછી કર્મ દેખાય, ભાસે, પ્રતીતિ થાય છતાં શરીરનાં, મનનાં કે ઇન્દ્રિયનાં કરેલાં કર્મો બંધનમાં નાંખી શકે નહીં. કારણ કે જ્ઞાનીએ ‘કત” નો જ સંહાર
ક્ય છે. “ક” ની કબર પર તે ઊભો છે. અને આવો જ્ઞાની કતભાવ વિના; કર્મના અભિમાન વિના જજે કર્મ કરતો જણાય તોપણ સમજવું કે તે કર્મથી બંધાતો નથી. જેમ બળેલી દોરી કાથીની દોરી, રખિયા રૂપે છે છતાં આકાર તો દોરીનો જ છે પણ હવે તેનાથી કંઈ બાંધી શકાય નહીં. તેવી જ રીતે જ્ઞાનીને ફળ ઉત્પન્ન કરવાની શક્તિથી વિહીન થયેલાં કર્મ બાંધી શકે નહીં. તઉપરાંત જ્ઞાની સ્વરૂપે તો સર્વવ્યાસ, નિરાકાર