________________
(૨૯૦).
ન પડે. પણ પ્રવૃત્તિથી જે પ્રતિષ્ઠા મળે, જે જાહેરાત થાય અને તેથી જે ખ્યાતિ મળે; તેવું જ કરવામાં અહમને પુષ્ટિ મળે છે. તેથી તેવું જ શ્રવણ કરવા તેઓ ટેવાયેલા છે.
પણ સાચા સાધકે. મોક્ષની લગની લાગી છે તાણે, વૈરાગ્યનો અગ્નિ જેના હૃદયમાં છે તેણે, અસંગનિ:સંગના ઉપાસકે
ક્યારેય કશાયમાં..પડવું નહીં અને જે પ્રપંચ હકીકતમાં નથી. તેમાં તો કદી નહીં....
આત્મચિંતન-મનન અને નિદિધ્યાસન એ જ સાધકનાં મુમુક્ષુનાં સાધન છે અને તે જ ચિંતન મનન જ્ઞાની માટે આત્મરમણનું મેદાન
આમ જ્ઞાનીને પ્રપંચ નથી; પડવાનો પ્રશ્ન પણ નથી અને જેને પ્રપંચ ભાસે તે પણ સાવચેતી અને સાવધાનીથી પડતાં પડતાં બચી જાય છે. અને પડ્યો હોય તો પણ ઈશ્વરકૃપાથી પુન: ઊભો થાય છે. પડવામાં નામોશી નથી, બદનામી નથી, પણ પડીને ઊભા નહીં થવામાં અધોગતિ છે, પતન છે. પ્રારબ્ધ અજ્ઞાનીને સમજાવવા માટે જ છે.
देहस्यापि प्रपञ्चत्वात् प्रारब्धावस्थिति: कुत: अज्ञानीजनबोधार्थ प्रारब्धं वक्ति वै श्रुतिः॥९७॥
દર્ય પ્રપષ્યત્વ =દેહમાં પણ પ્રપંચપણું છે, BRવ્યર્ચ મસ્થિતિ : =તો પછી પ્રારબ્ધની સ્થિતિ ક્યાં? અજ્ઞાનીનનોધાર્થ કૃતિઃ પ્રમ્ વત્તિ =માત્ર અજ્ઞાનીને સમજાવવા માટે જ શ્રુતિમાં પ્રારબ્ધની વાત છે.
શંકા: જો આત્મજ્ઞાનથી અજ્ઞાન નષ્ટ થાય, તો તેની સાથે તેવું કાર્ય પ્રપંચ = ગત અને તેમાં રહેલો દેહ પણ નષ્ટ જ થાય છે; આમ જો કારણ અજ્ઞાનનો નાશ થતાં કાર્ય દેહ પણ નષ્ટ થાય તો જ્ઞાનપ્રાપ્તિ પછી જ્ઞાની અને કેવી રીતે? સમાધાન: આવી શંકાના સમાધાન અર્થે જ કૃતિમાં, વેદમાં વાત કરી છે કે “પ્રારબ્ધ જ દેહનું કારણ છે,” આ વાત માત્ર ઉપલક દષ્ટિથી કરી છે. તેથી કંઈ જ્ઞાનીને દેહ સત્ય છે તેવું નહીં, પણ અજ્ઞાનીને