________________
(૨૮૮).
રકમડાં પાણીમાં ઓગાળવાથી નામ અને આકારરૂપી કાર્યનો નાશ થાય અને એ ખાંડવાળું પાણી પી જવાથી કારણનો પણ નાશ થાય. ટૂંકમાં, વસમાં રહેલ સૂતરને બાળવાથી વસ પણ બળી જાય છે. તેમ જ અજ્ઞાન
mતનું ઉપાદાન કરણ નષ્ટ થતાં ગત પણ અજ્ઞાન સાથે જ નાશ પામે છે. જાગી જવાથી સ્વપ્નસૃષ્ટિ અને સ્વપ્નદ્રષ્ટા બન્ને અદશ્ય થાય છે તેમ જ..અનાયાસે; વિના પ્રયત્ન દશ્ય પ્રપંચ નષ્ટ થાય છે.
જેવી રીતે દોરીનું અજ્ઞાન હોય તો જ સર્પનું ભાન હોય છે તેવી જ રીતે આત્મા જે અધિષ્ઠાન છે તેનું અજ્ઞાન હોય છે તેથી જ પ્રપંચ દેખાય છે. અજ્ઞાનમાં દોરી પોતે જ સર્પરૂપે દેખાય છે.
અજ્ઞાનમાં બ્રહ્મ પોતે જ બ્રહ્માંડ તરીકે ભાસે છે. દોરીનું અજ્ઞાન ન હોય તો સર્પ ન ભાસે
આત્માનું અજ્ઞાન ન હોય તો પ્રપંચ પણ ન ભાસે. દોરીના અજ્ઞાનથી જ સર્પ અને તેનો ભય જન્મે છે. પરમાત્માના અજ્ઞાનથી જ જીવ-જગત જન્મેલાં ભાસે છે. પ્રકાશમાં સર્પ અને તેનો ભય બન્ને પૂર્ણ રીતે નષ્ટ થાય છે.
તેમ જ અધિષ્ઠાન આત્માના અતના જ્ઞાનમાં ગત પ્રપંચ લેશમાત્ર રહેતું નથી. “ધિકાને જ્ઞાનને પ્રપન્નઃ તામ્ તિઃ”
ટૂંકમા, આત્મજ્ઞાનથી આત્મા ગતરૂપે ભાસતો હતો તેટલું જ નહીં પણ જગત-પપંચ-સત્ય જણાતું હતું, જેમ ભ્રાંતિરૂપી સર્પ સાચો લાગતો....અને તેનો ભય અનુભવાતો તેમ જ. પણ આત્મજ્ઞાન થતાં પ્રપંચનો અંશમાત્ર સત્ય જણાતો નથી. બધું જ પ્રતીતિ માત્ર જણાય છે. સ્વપ્નવતું જણાય છે. અગર સર્વસ્વ બ્રહ્મમય જણાય છે.
આમ જોતાં પ્રપંચ છે જ નહીં, સતુ નથી, તો તેમાં દેહ ક્યાંથી સાચો હોય! જે દેહ જ સાચો નથી તો તેના માટે શોધાતાં સુખ, વૈભવ
ક્યાં છે સાચાં! દશ્ય માત્ર અસતુ છે. છતાં સૌ પડ્યાં છે સંસાર રચવામાં રચેલા સંસારના જીર્ણોદ્ધારમાં; જે નથી તેમાં સૌ પડયા માટે જ કહ્યું છે કે સંસાર પ્રપંચ છે. જ્યાં જુઓ ત્યાં લોકો પાડવા માટે તલપાપડ, તત્પર થયા છે. લોકો પડવા પ્રયત્નશીલ છે. જેને પ્રપંચ દેખાય, સાચો અનુભવાય, તે ભલે પડે, અજ્ઞાની ભલે અનેકમાં પડે, અનેક વાર પડે