________________
(૨૭૧) કરી છે તે તો “નોલેજ કેપિટલ ક” છે. અર્થાત અહીં પરબ્રહ્મ કે આત્મજ્ઞાનની વાત છે. જેમાં જાણનાર જ્ઞાતા શેયથી ભિન્ન નથી હોતો. અને આત્માને જાણનાર આત્મા જ થાય કે બ્રહ્મને જાણનાર બ્રહ્મ જ બને છે. શાસ્ત્ર અને આત્મચિંતનના સંદર્ભમાં “જાણવું' એ નિરીક્ષણ કે
ઓન્ઝર્વેશન' નહીં જ -અને “ઈન્ફર્મેશન’ તો સ્વપ્નમાં પણ નહીં. અહીં તો આત્મા સમગ્ર વિશ્વનું, બ્રહ્માંડનું અધિષ્ઠાન છે તેમ જાણવાનું છે. અને તે અધિષ્ઠાન હું પોતે જ છું તેવી દઢતા કાયમ કરવી તેને જ્ઞાનનિષ્ઠા હે છે. આવી જ્ઞાનનિષ્ઠા પ્રાપ્ત કરવા સતત, નિરંતર, ચિંતન કરતા રહેવું. અને સમજવું કે જે હું જગતનું અધિષ્ઠાન, તો અધ્યસ્ત “જગત” કે
જીવ'નો આરોપ કયાં છે મુજથી ભિન્ન? અને માટે જ હું જ ગત; હું જ જીવ અને ઈશ્વર પણ હું જ છું. મારા આધારે જ જીવ અને ઈશ્વરની સંતાકૂકડી જેવી શોધ ચાલી રહી છે. સર્જન અને વિસર્જનની રમત મારા ઉપર જ; મારા દ્વારા રમાઈ રહી છે. અને તેના સંદર્ભમાં અહીં સૂચન છે કે હે મહામતે; હે ભાગ્યશાળી; હે માનવદેહધારી; મુમુક્ષુ; તું આત્મવિચાર દ્વારા જાણ કે તું જ દશ્ય છે; તું જ કષ્ટા છે; તું જ દષ્ટિ છે. તારાથી ભિન્ન કંઈ નથી તેથી તું જ દશ્યરૂપ થઈ ગયો છે. છતાં તું જ તને કષ્ટારૂપે જોઈ રહ્યો છે. કેટલું આશ્ચર્ય છે કે હું જ દશ્ય અને કષ્ટા રૂપે મને જોઉં છું અને છતાં જાણું છું કે દૃશ્ય અને કટા બન્ને નથી છતાં ભાસે છે; પ્રતીત થાય છે. આ તો આશ્ચયનું આશ્ચર્ય... ખરેખર આત્મા પરમ આશ્ચર્ય જ છે. આમ વિચારતાં વિચારતાં સમય પસાર કરી અને સમય વિતાવતાં વિચારતો જા કે “તું કોણ?”
“મન ચહે તો જઈ નેપથ્યમાં સંતાય તું રંગમાં આવે તો જગતના મંચ પર દેખાય તું તારી આ દર્શનની લીલા સ્પષ્ટ છે દીવા સમી દશ્ય તું અદશ્ય તું ઈશ્ય તું કટાય તું
‘कालं नय महाद्युते 'कालं नय महामते' અહીં મુમુક્ષુની; મનનશીલની; આત્મવિચારકની જીવનપદ્ધતિનો નિર્દેશ કરતાં જણાવ્યું છે કે તું આત્મવિચારમાં જ સમય વિતાવ, નહીં તો સમય તને વિતાવી દેશે અને કહેશે કે
જીવવા ખાતર ન્ગ જે જિંદગી જીવી ગયો એની જીવનવારતાનું મોત શીર્ષક હોય છે.”